SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ અંતસમયે પૂર્ણ વીતરાગ થઈ નિજ કેવળજ્ઞાનનિધાન પ્રગટ થાય. તેરમા ગુણસ્થાનકે ચાર ઘનઘાતી કર્મ વ્યવચ્છેદ થયાં હોવાથી ભવના બીજનો આત્યંતિક નાશ થયો હોય છે, આત્મપરિણતિની શુદ્ધતા સહિત જીવ સર્વ ભાવનો જ્ઞાતા-દ્રષ્ટા હોય છે અને અનંત વીર્યના પ્રગટવાથી કૃતકૃત્ય થઈ પ્રભુપદે વિરાજિત હોય છે. વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય એ ચાર બાકી રહેલાં કર્મો બળેલી સીંદરીની જેમ આકૃતિ માત્ર રહે છે. આયુષ્ય કર્મ છે ત્યાં સુધી જ દેહમાં રહેવાનું હોવાથી આયુષ્ય પૂર્ણ થયા પછી ફરી દેહ ધારણ કરવાનો રહેતો નથી. ચૌદમું અયોગી ગુણસ્થાનક પ્રાપ્ત થતાં મન, વચન, કાયા અને કર્મની વર્ગણા એ સકળ પુદ્ગલનો સંબંધ સદાને માટે છૂટે છે. આ દશા મહાભાગ્ય, સુખદાયક તથા પૂર્ણ અબંધ છે. ચૌદમાં ગુણસ્થાનકના છેલ્લા સમયે એક પરમાણુમાત્રની પણ સ્પર્શના હોતી નથી, પૂર્ણકલંકરહિત અડોલ સ્વરૂપ પ્રગટે છે કે જે શુદ્ધ, નિરંજન, ચૈતન્યમૂર્તિ, અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત, સહજપદરૂપ છે. પૂર્વપ્રયોગ, બંધ છેદ, તથાગતિ પરિણામ, અસંગતા એ કારણોના યોગે આ આત્મા ઊર્ધ્વગમન કરી સિદ્ધાલયમાં સુસ્થિત થાય છે અને ત્યાં સાદિ-અનંત કાળ સુધી અનંત દર્શન, અનંત જ્ઞાન સહિત અનંત સમાધિસુખમાં નિમગ્ન રહે છે. આ પદને સર્વજ્ઞ ભગવાન પોતાના કેવળજ્ઞાનમાં જાણે છે, છતાં તેઓ તેને યથાર્થપણે કહી શકતા નથી; તો તે સ્વરૂપને અન્ય કોઈની વાણી શું કહે? તે પદનું જ્ઞાન માત્ર અનુભવગોચર છે. આ કાવ્યનો ઉપસંહાર કરતાં શ્રીમદ્ અંતિમ કડીમાં પ્રકાશે છે કે એ પરમપદની પ્રાપ્તિની તેમણે ભાવના ભાવી છે અને તે કાર્ય અત્યારે ગજા ઉપરાંતનું હોવાથી મનોરથરૂપ છે; તોપણ તેમના મનમાં એ દઢ નિશ્ચય વર્તે છે કે તેઓ પ્રભુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy