SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાએ ચાલી તે સ્વરૂપને અવશ્ય પામશે. આમ, સર્વોત્કૃષ્ટ પરમપદપ્રાપ્તિની પ્રભાવશાળી ભાવનારૂપ આ ‘અપૂર્વ અવસર' કાવ્ય શ્રીમદ્ની અત્યુત્તમ, અવિરત, અંતરંગ પુરુષાર્થધારાનું સ્પષ્ટ દિગ્દર્શન કરાવે છે. આ કાવ્ય એવા આત્મિક ઉલ્લાસથી લખાયેલું છે કે તે વાંચનાર-સાંભળનારને પણ ઉલ્લાસ આવે છે. તત્ત્વજ્ઞાનથી ભરપૂર આ કાવ્ય જૈન ધર્મના તથા અન્ય ધર્મોના જિજ્ઞાસુઓમાં ઘણું લોકપ્રિય છે અને તે ઘણાં સ્થળે-પ્રસંગોએ ગવાય છે. મહાત્મા ગાંધીજીને આ કાવ્ય તેની ઉત્તમતાના કારણે ખૂબ પ્રિય હતું. ફિનીક્સ આશ્રમમાં પ્રાર્થનામાં આ કાવ્ય ગવાતું અને ત્યાં તેમણે તેની પ્રત્યેક કડી ઉપર પ્રવચન કર્યાં હતાં. તેમણે આ પદને ‘આશ્રમભજનાવલી'માં પણ સ્થાન આપ્યું હતું. ગાંધીજીએ આ કાવ્યને શ્રીમની દશા સાથે સાંકળતાં લખ્યું છે ૨૧૧ — જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો.૧ આ કાવ્યની પ્રત્યેક કડી એટલી સઘન અને અર્થસભર છે કે તેનાથી પ્રભાવિત થઈ મુનિ શ્રી જયવિજયજી, મુનિ શ્રી સંતબાલજી, શ્રી કાનજીસ્વામી, શ્રી નગીનદાસ શેઠ જેવા સમર્થ ચિંતકોએ તેના ઉપર વિસ્તૃત વિવેચન કર્યું છે. વિનોબાજીએ ઈ.સ. ૧૯૧૬માં આ કાવ્ય વાંચ્યું હતું. તેમને તે ખૂબ ગમ્યું હતું અને તેમણે તે કંઠસ્થ પણ કર્યું હતું. Jain Education International તત્ત્વજ્ઞાનગર્ભિત અને આત્મલક્ષોપદેશક આ અલૌકિક કાવ્ય ગુજરાતી કવિતાનું એક અણમોલ રત્ન છે. કાવ્યગુણની દૃષ્ટિએ તે એટલું ઉચ્ચ પ્રકારનું છે કે માત્ર આ એક જ કાવ્ય ૧- શ્રી મુકુલભાઈ કલાર્થી સંપાદિત, ‘શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી', પૃ.૪૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy