SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ બાર કડીનો પૂર્વાર્ધ અને નવ કડીનો ઉત્તરાર્ધ એમ બે વિભાગમાં વિભાજિત કરી શકાય. પૂર્વાર્ધમાં સમ્યગ્દર્શન, નિગ્રંથ થવાની ભાવના, નિર્મથના ચારિત્ર આદિનું વર્ણન છે, જ્યારે ઉત્તરાર્ધમાં ક્ષપક શ્રેણી, કેવળજ્ઞાન, મોક્ષ આદિનું વર્ણન છે. - શ્રીમદ્ કાવ્યના પ્રારંભમાં આત્મનિવેદન કરતાં જણાવે છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે કે જ્યારે બાહ્ય અને અત્યંતર નિર્ચથતા પ્રાપ્ત થશે અને સર્વ સંબંધનું તીક્ષ્ણ બંધન છેદીને મહાપુરુષોના પંથે વિચરશું. સર્વ પરભાવથી ઉદાસીનવૃત્તિ હોય, દેહનો ઉપયોગ સંયમમાર્ગ સાધવા માટે જ થતો હોય, તે સિવાય બીજા કોઈ પણ હેતુએ બીજી કોઈ પણ ઇચ્છા ન હોય અને દેહમાં કિંચિત્ પણ મમત્વભાવ ન હોય એવા નિર્ચથપણાની ભાવના શ્રીમદ્ કરે છે. ત્રીજી કડીમાં ઊપજ્યો’ શબ્દ દ્વારા પોતાને અનુલક્ષીને શ્રીમદ્ જણાવે છે કે દર્શનમોહ વ્યતીત થવાથી દેહથી ભિન્ન શુદ્ધ આત્માનો બોધ થયો છે, સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે; તે આત્મબોધના કારણે વિશેષપણે ક્ષીણ થયેલ ચારિત્રમોહને અવલોકીએ છીએ અને શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન નિરંતર વર્તે છે. આ કાવ્યની ચોથી કડીથી બારમી કડી સુધીમાં શ્રીમદ્ મુનિદશાની ભાવના ભાવતાં જણાવે છે કે મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ રોકીને ધ્યાનમગ્ન થાઉં; અને આવી આત્મસ્થિરતા (ગુપ્તિ) નિરંતર પ્રધાનપણે મરણ પર્યત રહો. ઘોર પરિષહ કે ઉપસર્ગના ભયથી પણ તે આત્મસ્થિરતા વિચલિત ન થાય. સમિતિનું સ્વરૂપ દર્શાવતાં તેઓ જણાવે છે કે નિર્વિકલ્પ દશા અખંડ ન રહે ત્યારે મન-વચન-કાયાની જે પ્રવૃત્તિ થાય તે સંયમના હેતુએ, સ્વરૂપલક્ષે, જિન-આજ્ઞા આધીન હોય તથા તે પ્રવૃત્તિ પણ ક્ષણે ક્ષણે ઘટતી જતી સ્થિતિમાં હોય અને અંતે તે પ્રવૃત્તિ બંધ થતાં પોતે નિજસ્વરૂપમાં લીન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy