SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ - શ્રીમદે આ કાવ્યમાં શ્રુતસમુદ્રનો સાર ઠાલવી દીધો છે. આ અદ્ભુત કૃતિથી જીવનું લક્ષ મૂળ મોક્ષમાર્ગ તરફ જાય છે, તેને તાત્વિક દૃષ્ટિ મળે છે અને મત-દર્શન અંગેનો આગ્રહ શાંત થાય છે. ભાષાની સરળતા સાથે જે અર્થગાંભીર્ય આ કાવ્યમાં જોવા મળે છે, તે તેમની પ્રતિભાવંત સર્જન શક્તિનો શ્રેષ્ઠ નમૂનો છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? શ્રીમદ્ આત્મજ્ઞાની હતા, લોકોત્તર પુરુષ હતા, અધ્યાત્મની ઉચ્ચ કોટિએ વિરાજતા હતા, અપૂર્વ આત્મપરાક્રમથી ભાવનિર્ચથતાના પંથે વિચરી રહ્યા હતા, છતાં બાહ્યથી - દ્રવ્યથી પણ નિર્ચથપણું ત્વરાથી પ્રાપ્ત થાય એવી તેમની અભીપ્સા હતી અને તેથી તે ભાવનાને પાણીમાં પ્રભાવક રીતે વ્યક્ત કરતા, “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?' એ ધ્રુવપંક્તિથી પ્રારંભાતા અપૂર્વ આત્મભાવોલ્લાસમય કાવ્યની ઉત્પત્તિ થઈ. શ્રીમદે આ તત્ત્વસભર, મનોહર, પ્રેરક અને પ્રસિદ્ધ એકવીસ કડીના કાવ્યની રચના વિ.સં. ૧૯૫૩ના માગસર માસ આસપાસ વવાણિયામાં તેમનાં માતુશ્રીના ખાટલા ઉપર બેસીને કરી હતી. “અપૂર્વ અવસર'ના કાવ્યમાં શ્રીમદે પોતાને પ્રાપ્ત થયેલ દશા પ્રકાશી છે અને આગળની દશા પ્રાપ્ત કરવાનો મનોરથ વ્યક્ત કર્યો છે; તેથી મુખ્યપણે આ કાવ્ય સ્વલક્ષી છે, છતાં અન્ય જીવો તેનાથી પ્રેરણા પામી તેમાં દર્શાવેલ ક્રમે મોક્ષમાર્ગે આગળ વધી શકે એમ હોવાથી ગૌણપણે તેને પરલક્ષી પણ કહી શકાય. આ કાવ્યમાં શ્રીમદે પોતાની આત્મકથા અને પરમપદ પ્રાપ્તિની ભાવના સચોટ રીતે અભિવ્યક્ત કરવા સાથે જૈન આગમોની પરિપાટી અનુસાર આત્મવિકાસના ચૌદ ગુણસ્થાનકની પ્રક્રિયા પણ રોચક રીતે દર્શાવી છે. આ કાવ્યને ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૬૩-૫૬૬ (આંક-૭૩૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy