SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ થઈ શકે છે કે તેમણે આ ગ્રંથ પૂર્ણ કર્યો હશે. શ્રીમદે આ ગ્રંથમાં વસ્તુની રજૂઆત ખૂબ તર્કબદ્ધ અને સ્પષ્ટ રીતે કરી છે. જો આ ગ્રંથ સંપૂર્ણ ઉપલબ્ધ થયો હોત તો મતમતાંતર મટાડવાનું એક મહાન સાધન પ્રાપ્ત થાત. જો કે તેના ઉપલબ્ધ ભાગમાં પણ પ્રતિમાસિદ્ધિ માટે ઉપયોગી સામગ્રી છે જ. આમ, પ્રતિમા અને તેનું પૂજન પ્રમાણસિદ્ધ જણાતાં શ્રીમદે તેનો સ્વીકાર કર્યો અને સ્વરૂપશ્રેણીએ ચઢવાના એક પરમ અવલંબનભૂત સાધનનો લોપ ન થાય તથા ઇષ્ટ પરમાર્થહેતુએ તેનું ગ્રહણ થાય તે અર્થે પોતાના નિર્ણયને નિષ્પક્ષપાતપણે અને નિર્ભયપણે પ્રતિમાસિદ્ધિ' ગ્રંથમાં જાહેર કર્યો; જે શ્રીમી અનન્ય સત્યનિષ્ઠા અને અસાધારણ નૈતિક હિંમતનો પરિચય આપે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આત્માના વિષયમાં મહાગીતાસમું અને આત્મોપનિષદરૂપ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' શ્રીમદ્ભા સાહિત્યમાં મુગટમણિ સમાન છે. શ્રીમની સર્વ આત્મોપકારી કૃતિઓમાં તેમની આ પદ્યકૃતિ મૂર્ધન્ય સ્થાને બિરાજે છે. શ્રીમની ઉચ્ચ આત્મદશા અને પ્રબળ સર્જનશક્તિનો પુરાવો આપતી તથા શાસ્ત્રીય વિષય ઉપર સુવ્યવસ્થિત રીતે લખાયેલી આ ઉત્તમોત્તમ કૃતિ તેમના સમગ્ર સાહિત્યમાં અનોખી ભાત પાડે છે. અજ્ઞાની જીવો પોતામાં અવસ્થિત શુદ્ધાત્મતત્ત્વ પ્રત્યે પ્રેમ જાગૃત કરી શકે અને તેમાં એકાગ્ર થઈ શકે તે અર્થે તેમણે અતિ સરળ અને પ્રૌઢ ગુજરાતી ભાષામાં, દોહા છંદનો ઉપયોગ કરી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી છે. શ્રીમન્ના હૃદયપ્રતિબિંબરૂપ ઉત્તમોત્તમ પત્રોના ઉદ્ભવ માટેના પ્રબળ નિમિત્ત એવા સૌરાષ્ટ્રના સાયલા ગામના નિવાસી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૬-૫૫૭ (આંક-૭૧૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy