SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ ગણી, ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છું. મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરો એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તો તેમ કરવું. ۱۹ અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલાં આ હૃદયસ્પર્શી વચનોના અક્ષરે અક્ષરે અદ્ભુત શાસનદાઝ, મતભેદરહિત સન્માર્ગે લઈ જનારી નિષ્ઠા તથા સચ્ચાઈનો રણકો રણકે છે. પ્રૌઢ શાસ્ત્રશૈલીથી વિષયનો પ્રારંભ કરતાં શ્રીમદે માર્ગ પામવા માટે કઈ વ્યક્તિ ઉત્તમ કહેવાય તેનો નિર્દેશ કર્યો છે. પછી તેમણે વીતરાગપ્રણીત ધર્મમાં અનેક મતભેદો ઊભા થવાનાં કારણો બતાવી દુર્લભબોધિ ગુરુઓની તથા તેમના વર્ચસ્વ હેઠળ આવેલા સમાજની સ્થિતિનો કરુણ ચિતાર રજૂ કર્યો છે અને જૈન ધર્મના સત્ય આરાધકોની અત્યંત અલ્પતા દર્શાવી છે. આમ, સામાન્યપણે મતભેદોનો નિર્દેશ કરી તેમણે પ્રતિમાવિષયક મુખ્ય વિવાદનો ઉલ્લેખ કર્યો છે. તે પછી જે પાંચ પ્રકારનાં પ્રમાણોથી તેઓ પ્રતિમાની સિદ્ધિ કરવા ઇચ્છે છે તેનો નિર્દેશ કર્યો છે. તેમણે આગમની વ્યાખ્યા કરી છે તથા સુપ્રસિદ્ધ દ્વાદશાંગીનાં નામોનો નિર્દેશ કર્યો છે. તેમણે પ્રસ્તુત ગ્રંથ વાંચનારે લક્ષમાં લેવા યોગ્ય ઉપયોગી નિયમો દર્શાવ્યા છે, જેના ઉપરથી સ્પષ્ટ ફલિત થાય છે કે તેમણે પોતાનો મત ખૂબ જ નમ્રતાપૂર્વક રજૂ કર્યો છે તથા પક્ષપાતી વલણ ન રાખતાં પોતાને જે સત્ય જણાયું તે રજૂ કર્યું છે અને બીજાઓ તેને સત્યરૂપે જાણ્યા પછી જ સ્વીકારે તેવી ભલામણ કરી છે. તે પછી તેમણે શાસ્ત્રસૂત્રની સંખ્યા બાબત સૂચન કર્યું છે, પરંતુ ત્યારપછીનો પ્રતિમાની સિદ્ધિ કરતાં પ્રમાણો આપતો આખો વિભાગ અપ્રાપ્ય છે. આ ગ્રંથનો ‘છેવટની ભલામણ’રૂપ ઉપસંહારભાગ ઉપલબ્ધ છે અને તે પ્રત્યે દૃષ્ટિ કરતાં અનુમાન ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૭૩ (આંક-૪૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy