SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ૧ પ્રતિમાસિદ્ધિ સ્વરૂપસિદ્ધિનું કારણ એવી ભગવાનની પ્રતિમાનું અવલંબન કલ્યાણકારી લાગવાથી તેને પ્રમાણિત કરતો ‘પ્રતિમાસિદ્ધિ' નામનો લઘુ ગ્રંથ શ્રીમદે એકવીસમે વર્ષે લખ્યો હતો. આ ગ્રંથનો પ્રારંભનો પ્રસ્તાવનાદિ ભાગ તથા ઉપસંહારનો ભાગ જ ઉપલબ્ધ છે, ગ્રંથનો મહત્ત્વનો મધ્યભાગ અપ્રાપ્ય છે. શ્રીમદ્ પ્રથમ પ્રતિમામાં માનતા ન હતા, પરંતુ પછીથી તેમને પ્રતિમા અને તેનું પૂજન સત્ય લાગતાં તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. શ્રીમદ્દ્ના પ્રતિમાવિષયક વિચારપરિવર્તનથી પ્રતિમા-ઉત્થાપક પક્ષના પરિચયીઓ શ્રીમદ્દી વિમુખ થયા હતા, તેથી તેમના અંતઃકરણને વધુ ન દુભાય તે અર્થે શ્રીમદે આ ગ્રંથને પ્રસિદ્ધ કર્યો ન હતો. પરંતુ પછી તેમના સંક્લેશ વિચારો દૂર કરવાના શુભ આશયથી અને પોતાને જે પ્રમાણોથી પ્રતિમાનું પ્રમાણસિદ્ધપણું સુપ્રતીત થયું, તે પોતાના હૃદયમાં જ ન રહી જવા પામે એવા કલ્યાણકારી ઉદ્દેશથી તેમણે તે વિચારો પ્રગટ કર્યા. અગાઉ પોતે પ્રતિમા-ઉત્થાપક પક્ષમાં ગણાયા હતા એમ નિખાલસ અને સરળ ભાવે જણાવી, આ ગ્રંથનું પ્રયોજન દર્શાવતાં શ્રીમદ્ નિરાગ્રહભાવે લખે છે Jain Education International ‘મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાના આરાધન ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણોક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. મને તે પદાર્થોનો જે રૂપે બોધ થયો અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ, તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે; અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટળી જાય; તે સુલભબોધિપણાનું કાર્ય થાય એમ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૭૧-૧૭૫ (આંક-૪૦) ― For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy