SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ પાંચ દિવસ સુધી પહાડો અને વનમાં સમાગમ આપ્યો હતો અને ‘બૃહદ્ દ્રવ્યસંગ્રહ'નો દિવ્ય બોધ આપી આત્મજાગૃતિ કરાવી હતી. તે જ વર્ષમાં શ્રીમદે મુનિઓને નરોડા ક્ષેત્રે એક દિવસનો સત્સંગલાભ આપ્યો હતો. વિ.સં. ૧૯૫૭માં અમદાવાદમાં અંતિમ સમાગમ થયો હતો ત્યારે શ્રીમદે મુનિશ્રીને જણાવ્યું હતું કે અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં તથા અગત્યની ભલામણ કરતાં કહ્યું હતું કે, “મુનિ, દુષમકાળ છે માટે જડભરત જેવા થઈને વિચરજો; રિદ્ધિ-સિદ્ધિ પ્રગટશે તેને ઓળંગી જજો. આ કાળના જીવો પાકા ચીભડા જેવા છે, કડકાઈ સહન કરી શકે તેવા નથી. માટે લઘુતા ધારણ કરી કલ્યાણમૂર્તિ બનશો તો ઘણા જીવોનું કલ્યાણ તમારા દ્વારા થશે.' વિ.સં. ૧૯૫૭ના ચૈત્ર વદ ૫ના દિવસે થયેલ શ્રીમદ્દના દેહોત્સર્ગના સમાચાર મુનિશ્રીને બીજા દિવસે સવારના કાવિઠા મુકામે મળ્યા, ત્યારે તેમણે પાંચમના ઉપવાસ ઉપર છઠનો નિર્જળ ઉપવાસ કરી, ગામ બહાર જંગલમાં કાયોત્સર્ગ, ભક્તિ વગેરે કરીને તે દિવસ એકાંતમાં ગાળ્યો હતો. શ્રીમન્ના દેહોત્સર્ગ પછી મુનિશ્રી દક્ષિણમાં કરમાળા, ઉત્તરમાં વડાલી અને ચરોતરમાં વિવિધ જગ્યાએ ચાતુર્માસ કરી, આજુબાજુનાં ક્ષેત્રોમાં વિચરતા હતા. તેમણે વિ.સં. ૧૯૫૭થી વિ.સં. ૧૯૭૫ સુધી વસો, કરમાળા, નરોડા, ધંધુકા, વડાલી, ખેરાળુ, બોરસદ, પાલીતાણા, ખંભાત, નડિયાદ, જૂનાગઢ, બગસરા, નાર તથા સીમરડા ક્ષેત્રે ચાતુર્માસ કરી અનેક મુમુક્ષુઓને શ્રીમી ભક્તિમાં જોડ્યા હતા. વિ.સં. ૧૯૬૮માં ખંભાતના દરિયાકિનારે તેમણે ઓગણીસ દિવસરાત અવિરત ભક્તિ કરી હતી અને ઘણા જીવોને ભક્તિના રંગમાં તરબોળ કરી દીધા હતા. ૧- 'ઉપદેશામૃત', ચોથી આવૃત્તિ, પ્રસ્તાવના, પૃ.૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy