SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ ઓળખાવતા હતા. વિ.સં. ૧૯૫રનું ચાતુર્માસ મુનિશ્રીએ ખંભાતમાં કર્યું હતું. પર્યુષણ વખતે નિવૃત્તિ લઈને શ્રીમદ્ રાળજમાં રહ્યા હતા. શ્રીમદ્ ખંભાતથી નજીક હોવા છતાં દર્શનનો લાભ ન મળવાથી મુનિશ્રીને વિરહવેદના અસહ્ય થતાં તેઓ રાળજના પાદર સુધી પહોંચી ગયા હતા, પણ આજ્ઞા ન મળતાં આંસુ સહિત ખંભાત પાછા ગયા હતા. બીજા દિવસે શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈ દ્વારા સ્મરણમંત્ર પાઠવ્યો હતો, જેને મુનિશ્રીએ અંતરમાં ધારણ કરી, રોમ રોમ તેની ધૂન જગાવી હતી. થોડા દિવસ પછી શ્રીમદે ખંભાત નજીક વડવા આવીને અઠવાડિયા સુધી શ્રી લલ્લુજી મુનિ આદિ સાતે મુનિઓને સમાગમલાભ આપ્યો હતો. શ્રીમદ્ના નિરંતર સમાગમમાં મુનિવેષ નડતરરૂપ બનતો હોવાથી શ્રી લલ્લુજી મુનિએ આંખમાં અશ્રુધારા સહિત મુહપત્તી કાઢી નાખી હતી, પરંતુ શ્રીમદે તે પહેરવાની હજી જરૂર છે એમ જણાવી શ્રી લલ્લુજી મુનિને મુહપત્તી પાછી આપવા બીજા મુનિને જણાવ્યું હતું. આ જ વર્ષના અંતે નડિયાદ મુકામે શ્રીમદે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી હતી, જેની એક નકલ એકાંતમાં અવગાહવાની આજ્ઞા સહિત મુનિશ્રીને મોકલી હતી. તદનુસાર મુનિશ્રી વગડામાં દૂર એકલા જઈને એકાંત સ્થાને બેસીને તે મુખપાઠ કરતા તથા ગાથાર્થ વિચારતાં તેમને અપૂર્વ માહાત્મ ભાસતું અને અત્યંત આત્મોલ્લાસ થતો. વિ.સં. ૧૯૫૪નું ચાતુર્માસ શ્રી લલ્લુજી મુનિએ વસોમાં કર્યું હતું, ત્યારે શ્રીમદે મુનિઓને એક માસ માટે સમાગમલાભ આપ્યો હતો. તેમણે વનમાં જઈને મુનિઓને ઘનિષ્ઠ ઉપદેશ આપ્યો હતો. વસોમાં છેલ્લે દિવસે શ્રી લલ્લુજી મુનિને શ્રીમદે એક કલાક બોધ આપ્યો હતો અને તેમનો દૃષ્ટિરાગ પલટાવી આત્મદષ્ટિ કરાવી હતી, અર્થાત્ તે દિવસે મુનિશ્રીને સમ્યકત્વ લાધ્યું હતું. વિ.સં. ૧૯૫૫માં શ્રીમદે ઈડરમાં સાતે મુનિઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy