SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ લોકો તરફથી થતા પરિષદને શ્રી લલ્લુજી મુનિ શાંતિથી વેદતા હતા અને પોતે સ્વીકારેલા સત્ય માર્ગથી જરા પણ વિચલિત થતા ન હતા. જેમ જેમ મુશ્કેલી વધતી ગઈ, તેમ તેમ શ્રીમદ્ પ્રતિ તેમની ભક્તિ વધતી ગઈ હતી. | મુનિવેષ હોવાથી શ્રીમદ્ સમાગમ કરવામાં શ્રી લલ્લુજી મુનિને ઘણી મુશ્કેલી પડતી હતી. શ્રીમનો વિશેષ સમાગમ મળી શકે તે અર્થે વિ.સં. ૧૯૪૯નું ચાતુર્માસ તેમણે મુંબઈમાં ચીંચપોકલીના ઉપાશ્રયમાં કર્યું હતું. શ્રી લલ્લુજી મુનિ દરરોજ શ્રીમદ્ પાસે જઈ, એકાદ કલાક એકાંતમાં સબોધ રહી કૃતકૃત્ય થતા હતા. શ્રીમદે મુનિશ્રીને “સમાધિશતક'ની શરૂઆતની સત્તર ગાથાઓ સમજાવી, તે ગ્રંથ વાંચવાની આજ્ઞા કરી હતી. તે સાથે “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે એ વાક્ય તે ગ્રંથના અસપૃષ્ઠ ઉપર લખી આપ્યું હતું. શ્રીમદ્ ઘણી વાર મુનિશ્રીને મૌન રહેવાનો બોધ આપતા હતા, તેથી વિ.સં. ૧૯૪૯નું ચાતુર્માસ પૂરું થયા પછી મુનિશ્રીએ ત્રણ વર્ષ માટે મૌન ધારણ કર્યું હતું. તેમાં માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવાની તથા શ્રીમદ્ સાથે પરમાર્થકારણે પ્રશ્નાદિ કરવાની છૂટ રાખેલી. એ અરસામાં તેમણે સમાધિશતક' ગ્રંથનું ઊંડું અધ્યયન કર્યું હતું. વિ.સં. ૧૯૫૦ અને ૧૯૫૧નાં બન્ને વર્ષનાં તેમનાં ચાતુર્માસ સુરતમાં થયાં હતાં. તે દરમ્યાન સુરતમાં તેમના શરીરે વ્યાધિ થતાં તેમણે શ્રીમદ્દ વિનંતી કરી હતી કે દેહ છૂટે તે પહેલાં સમકિત આપો. તેના ઉત્તરમાં શ્રીમદે છ પદનો પત્ર' (પત્રાંક-૪૯૩) સુરત મુકામે લખી મોકલ્યો હતો અને તે મુખપાઠ કરવાની આજ્ઞા કરી હતી. શ્રીમદ્ તે પછી સુરત આવ્યા ત્યારે તેમણે શ્રી લલ્લુજી મુનિને તે પત્રનો વિશેષ પરમાર્થ સમજાવ્યો હતો. મુનિશ્રીને અંતરમાં આ પત્રનું ઘણું મહત્ત્વ ભાસ્યું હતું અને તે પત્રને તેઓ ચમત્કારિક પત્ર તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy