SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ પછી ગુપ્તતા પણ જળવાય અને મુનિઓનો મનોરથ પણ સચવાય તે રીતે શ્રીમદ્દે મુનિઓને જંગલમાં એકાંત સ્થળે મળવાનો સંકેત કર્યો. પહાડ ઉપ૨ એકાંતમાં ફરવા જવાના સમયે શ્રીમદ્દે એક આંબાના વૃક્ષ નીચે મળવાનું ગોઠવ્યું હતું. તે મુજબ બીજા દિવસે શ્રીમદ્ ગાથાઓની ધૂન લગાવતા આવ્યા અને આંબાતળે અડધો કલાક સુધી તે ગાથાઓનો ખૂબ જોશથી ઉચ્ચાર કરતા રહ્યા. પછી અડધા કલાક સુધી સ્થિરતાપૂર્વક ધ્યાનમાં લીન રહ્યા. તે વખતની આત્મસ્થિરતા તથા દિવ્ય સ્વરૂપસ્થ અવસ્થા જોઈને મુનિઓએ શાંતિનો અનુભવ કર્યો. 22 તે જ દિવસે સાંજના શ્રી દેવકરણજી મુનિ આદિ પણ આવી ગયા. પછી મુનિઓને શ્રી સૌભાગ્યભાઈના ભાણા શ્રી ઠાકરશી સાથે ડુંગર ઉ૫૨ દર્શનાર્થે જવાની આજ્ઞા થવાથી, ઉપરનાં દેરાસરોની કૂંચીઓ મંગાવી, દિગંબર-શ્વેતાંબર બન્ને દેરાસરો ઉઘડાવી મુનિઓએ દર્શન કર્યાં. શ્રીમદ્દે મુનિઓને જિનપ્રતિમાનાં દર્શન કરવાની આજ્ઞા સૌથી પ્રથમ અહીં કરી હતી. મુનિઓને જિનપ્રતિમાના દર્શનથી બહુ ઉલ્લાસ આવ્યો. તેમના આત્મામાં ઉત્તમ ભાવની શ્રેણી ઉત્પન્ન થઈ. ડુંગર ઉપર જ્યાં જ્યાં શ્રીમદ્ વિચર્યા હતા, તે સર્વ સ્થળો શ્રી ઠાકરશીએ બતાવ્યાં; તે જોઈને અને ત્યાંની શ્રીમની ચર્યા સાંભળીને તેમને ખૂબ આનંદ થયો. ત્રીજે દિવસે પ્રાતઃકાળમાં તે જ આંબાના વૃક્ષ નીચે આવવા માટે મુનિઓને આજ્ઞા થઈ હતી. તે પ્રમાણે તેઓ ત્યાં ગયા. શ્રીમદ્ પણ પધાર્યા. પછી શ્રીમદ્ અને તેમની પાછળ સર્વ મુનિઓ ચાલતા જતા હતા એટલામાં એક વિશાળ શિલા આવી, જેના ઉપ૨ શ્રીમદ્ પૂર્વાભિમુખ બિરાજ્યા. મુનિઓ તેમની સન્મુખ બેઠા. શ્રીમદે કહ્યું કે ‘ભગવાન પુઢવીશિલા ઉપર બિરાજ્યા એવું શાસ્ત્રમાં કહેવામાં આવે છે તે આ પુઢવીશિલા.' પુઢવીશિલા ઉપર બિરાજમાન શ્રીમદે‘બૃહદ્ દ્રવ્યસંગ્રહ' ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy