SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ ખાસ મનાઈ કરી હોવાથી, જનસમાજમાં શ્રીમદ્દના આગમન સંબંધી કંઈ વાત બહાર પડી ન હતી. તેઓ માત્ર ભોજનસમય પૂરતો કાળ ગામમાં આવતા અને શેષ કાળ એકાંત નિર્જન સ્થળોમાં નિર્ગમન કરતા, ઇડરના પહાડોમાં અને ગુફાઓમાં એકાકી નિર્ભયપણે વિચરતા અને સ્વાધ્યાય-ધ્યાનમાં લીન રહેતા. તેઓ “અપૂર્વ અવસર'ના અપૂર્વ કાવ્યમાં પોતે ગૂંથેલ દિવ્ય ભાવના જાણે ચરિતાર્થ કરી રહ્યા હતા. શ્રીમદ્ મધ્યાહ્ન ગઢ ઉપર દેવદર્શન કરી, અમાઈ ટૂંક - રૂઠી રાણીનું માળિયું કહેવાય છે ત્યાં જઈ એકાંતમાં બેસી વાંચતા. સાંજે ચાર વાગ્યે ત્યાંથી નીચે ઊતરતા અને જંગલમાં પથ્થર ઉપર બેસીને મૂળ સૂત્રોનો મુખપાઠ સ્વાધ્યાય કરતા. પછી ઇસ્પિતાલ પાસે જ ડૉ. પ્રાણજીવનદાસનો બંગલો હતો ત્યાં સાંજે જમતા. જ્યારે ડુંગર ઉપર જવાનું ન હોય ત્યારે બંગલાની પાછળ નજીકમાં આવેલી ચંદન ગુફામાં બેસીને આત્મવિચારમાં મગ્ન રહેતા. તેઓ અલૌકિક ધૂનોના દિવ્ય ધ્વનિથી ઈડરના પર્વતોને ગજાવતા અને પરમ અસંગપણે શુદ્ધ ચૈતન્યનું ધ્યાન ધરતા. નિવૃત્તિક્ષેત્રસ્થિતિવેળાએ પ્રાયઃ પત્રાદિ વ્યવહાર ન કરવો એવો સામાન્ય નિયમ શ્રીમદ રાખ્યો હતો, એટલે ઈડરથી લખાયેલા છ-સાત ટૂંકા પત્રો સિવાય એમના બીજા પત્રો મળતા નથી. સર્વથા અસંગપણે વિહરતાં શ્રીમદે ઈડરમાં પંદર દિવસ સ્થિતિ કરી, ત્યાં તો શ્રીમદુના ઇડર જવાના સમાચાર શ્રી મોતીલાલભાઈ પાસેથી મુનિઓને મળ્યા હોવાથી, સાતે મુનિઓએ ઇડર તરફ વિહાર કર્યો અને શ્રી લલ્લુજી મુનિ આદિ ત્રણ મુનિઓ ઉતાવળે વિહાર કરી ઇડર પહોંચ્યા. પરંતુ આ ઈડરનિવાસ દરમ્યાન શ્રીમદ્ તદ્દન એકાંત જોઈતું હતું, તેઓ કોઈ મુમુક્ષુનો પણ સંગ કરવા ઇચ્છતા ન હતા, એટલે તેમણે શ્રી લલ્લુજી મુનિ આદિને વિહાર કરી જવાની આજ્ઞા આપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy