SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ વાંચવાનું શરૂ કર્યું અને તે ગ્રંથ લગભગ અડધો વાંચ્યો. તે ‘બૃહદ્ દ્રવ્યસંગ્રહ' ગ્રંથ ઈડરના દિગંબર જૈન પુસ્તક ભંડારમાંથી શ્રીમદે પોતે કઢાવ્યો હતો. લગભગ એક વાગ્યાનો સમય થતાં શ્રીમદ્ સહિત સર્વ મુનિઓએ ગામ તરફ ગમન કર્યું. રસ્તામાં ચાલતાં ચાલતાં શ્રીમદે ‘નીયમનીય દ્રવ્યં નિવરવસદેન નેન ઉદ્દિવું | વૈવિવવિવર, મંરે તેં સબવા સિરસા ।।' એ ‘બૃહદ્ દ્રવ્યસંગ્રહ'ની પહેલી ગાથાની ધૂન લગાવી હતી. શ્રીમદ્ દેહની પરવા કર્યા વિના ડુંગરમાં કાંટા, કાંકરા, જાળાં, ધારવાળા પથ્થરોમાં થઈને ઝડપથી આત્મવેગમાં ચાલતા. પાંચમા દિવસે તેઓ બધા મુનિઓ સાથે ઊંચે પહાડ ઉપર ગયા હતા અને ત્યાં નજીકમાં વાઘ રહેતો હોવાનું જણાવી મુનિઓને નિર્ભય રહેવા જણાવ્યું હતું. ત્યાં તેઓ એક વિશાળ શિલા ઉપર બિરાજ્યા હતા અને તેમણે તે શિલાને સિદ્ધશિલા' નામ આપી, પોતાને સિદ્ધ તરીકે ઓળખાવ્યા હતા.. આ સમય દરમ્યાન શ્રીમદ્રે દ્રવ્યસંગ્રહ' નામનો ગ્રંથ મુનિઓને વાંચી સંભળાવ્યો હતો અને એ ઉપ૨ મનનીય પ્રવચન પણ આપ્યું હતું. આ અપૂર્વ સમાગમનો લહાવો મળતાં શ્રી દેવકરણજી મુનિ આનંદિત થઈ, ઉલ્લાસપૂર્વક બોલી ઊઠ્યા હતા કે ‘અત્યાર સુધીમાં જે જે સમાગમ પરમ ગુરુનો થયો, તેમાં આ સમાગમ સર્વોપરી થયો. દેવાલયના શિખર ઉપર કળશ ચઢાવે છે તેમ આ પ્રસંગ પરમ કલ્યાણકારી છે; સર્વોપરી સમજાય છે.’ શ્રીમદે પાંચ દિવસ સુધી મુનિઓને જ્ઞાનવાર્તા, સદ્બોધ આદિનો લાભ આપ્યો. પછી છઠ્ઠા દિવસે આજ્ઞા થવાથી મુનિઓ ત્યાંથી વિહાર કરી ગયા હતા અને તે પછી પોણા બે મહિના સુધી શ્રીમદ્ પરમ અસંગપણે ઇડરમાં વિચર્યા હતા. તે વખતે તેઓ દોઢ મહિના સુધી એક પ્રાચીન ગુફામાં રહ્યા હતા. આમ, અઢી માસ ઇડર ક્ષેત્રે સ્થિતિ કરી શ્રીમદ્ મહા વદમાં અમદાવાદ આવ્યા અને ત્યાં તેમણે એકાદ દિવસ સ્થિતિ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy