SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ શ્રી ઝવેરચંદ શેઠે તેમનું ધ્યાન રાખવા માટે લલ્લુભાઈ નામના એક બારૈયાને રાખ્યો હતો અને તેને દાદર આગળ સુવાડતા હતા. પરંતુ શ્રીમદ્ તો રાત્રે એક-બે વાગે કોઈને કહ્યા વગર એકલા જંગલમાં ચાલ્યા જતા. પેલો માણસ જાગે ત્યારે શ્રીમદ્ મેડા ઉપર ન હોય, એટલે શ્રી ઝવેરચંદ શેઠ, શ્રી રતનચંદ, શ્રી વેણીચંદ વગેરે ફાનસ લઈ રાત્રે શ્રીમન્ને શોધવા નીકળતા અને શ્રીમદ્ મીઠુજીને કૂવે ધ્યાનમાં બેઠેલા મળતા. વળી, શ્રીમદ્ ભૈડવાના કૂવે ચરામાં મહુડાતળ, વજીગોરાણીના ચરામાં, બળાનપીર અને ઘોડાં કોઠી આગળ, ખેતરોમાં આંબા નીચે વારંવાર ધ્યાન કરવા બેસતા. કાવિઠાથી તેઓ રાળજ ગયા. ત્યાં તેઓ પારસીના બંગલામાં રહ્યા હતા અને ત્યાં પર્યુષણ કર્યું હતું. રાળજ ક્ષેત્રે શ્રીમદ્રની સ્થિતિ હતી તે વખતે શ્રી લલ્લુજી મુનિ આદિનું ચોમાસું ખંભાતમાં હતું. મુનિધર્મની મર્યાદાના કારણે તેઓ રાળજ જઈ શકતા નહીં, પરંતુ એક વખત સમાગમવિરહ સહન ન થઈ શકવાથી મુનિશ્રી રાળજની સીમ સુધી આવ્યા અને શ્રી અંબાલાલભાઈ મારફત દર્શન કરવા માટે ગામમાં આવવાની આજ્ઞા મંગાવી. શ્રીમદે શ્રી અંબાલાલભાઈ મારફત કહેવડાવ્યું કે મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો પોતે જાતે તેમની પાસે જઈ દર્શન આપે અને તેમના ચિત્તમાં શાંતિ રહેતી હોય તો તેઓ ચાલ્યા જાય. આ સાંભળી મુનિ ખેદખિન્ન થઈ, વિરહ સહન કરતાં કરતાં, આંખમાંથી ઝરતી અશ્રુધારા લૂંછતાં લૂંછતાં પાછા વળ્યા. રાળજથી શ્રીમદ્ વડવા ગયા હતા. વડવામાં શ્રી લલ્લુજી મુનિ આદિ મુનિઓને શ્રીમનો સમાગમ એકાંત સ્થળે મળતો હતો અને તેમણે છ દિવસ શ્રીમન્ના શ્રીમુખેથી પરમ બોધ રહણ કર્યો હતો. વડવાથી શ્રીમદ્ ખંભાતમાં મુમુક્ષુ શ્રી છોટાલાલ માણેકચંદને ત્યાં પધાર્યા હતા. શ્રીમદ્ ઉપદેશ કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy