SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ત્યારે તે મકાન શ્રોતાજનોથી ભરાઈ જતું. ખંભાતથી આણંદ જઈ શ્રીમદ્ આસો માસમાં નડિયાદ ગયા હતા. આણંદમાં આસો સુદ ૧ ના દિવસે તેમણે “મૂળ મારગ સાંભળો જિનનો રે પદ રચ્યું હતું. નડિયાદમાં શ્રીમદે શરદ પૂર્ણિમાના બીજે દિવસે એટલે કે આસો વદ એકમના સાંજના સમયે એક જ બેઠકે દોઢેક કલાકમાં ૧૪૨ ગાથાઓમાં તમામ શાસ્ત્રોનાં તત્ત્વજ્ઞાનનો નિચોડ દર્શાવતાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી હતી. કાવિઠા, રાળજ, વડવા, આણંદ આદિ ક્ષેત્રે મુમુક્ષુઓ શ્રીમદ્ જેવા પરમ પુરુષનાં સાક્ષાત્ સત્સંગનો અને ઉપદેશામૃતધારાનો અનુપમ લાભ પામી ધન્ય થતા. પ્રભાવશાળી સ્મરણશક્તિવાળા શ્રી અંબાલાલભાઈએ પોતાની સ્મૃતિમાં રહેલો બોધ ઘણોખરો શ્રીમના શબ્દોમાં ઉતારી લીધો હતો, જે ઉપદેશ છાયા' શીર્ષક તળે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પ્રસિદ્ધ થયો છે. શ્રીમદ્ વિ.સં. ૧૯પરની દિવાળી પછી પણ નડિયાદમાં થોડો વખત રહ્યા હતા, ત્યારપછી માતુશ્રીની બીમારીના કારણે વવાણિયા ગયા હતા. વવાણિયામાં તેમણે અપૂર્વ અવસર' કાવ્યની રચના કરી હતી. તેઓ વિ.સં. ૧૯૫૩ના વૈશાખ માસ સુધી વવાણિયા, મોરબી, સાયેલા રહ્યા હતા અને તે જ મહિનામાં શ્રી સૌભાગ્યભાઈ સાથે ઇડર ગયા હતા. ત્યાં તેમણે દસ દિવસ સ્થિરતા કરી, પરમાર્થમેઘની વર્ષા વરસાવી, શ્રી સૌભાગ્યભાઈને અપૂર્વ લાભ આપ્યો હતો. આ સમય દરમ્યાન ઇડરના મહારાજાએ શ્રીમદ્દી એક-બે વખત મુલાકાત લીધી હતી અને તેમની વચ્ચે જે વાર્તાલાપ થયો હતો તેનો અહેવાલ ‘દેશી રાજ્ય' માસિકમાં ઈ.સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયો હતો. તે વાર્તાલાપમાં શ્રીમદે જણાવ્યું હતું કે ઈડર પ્રદેશમાં શ્રી મહાવીર ભગવાન અને તેમના શિષ્ય શ્રી ગૌતમસ્વામી આદિ ગણધરો વિચરેલાનો ભાસ થાય છે. તેમના શિષ્યો નિર્વાણને પામ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy