SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી, ઘણું કરીને અત્ર કોઈનો સમાગમ ઇચ્છતું નથી. કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થવાક્ય વદવા ઇચ્છા થતી નથી, કોઈએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તનો પણ ઝાઝો સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે.” શ્રીમદ્દનું ચિત્ત ચૈતન્યસાગરમાં એટલું બધું નિમગ્ન થઈ ગયું હતું કે તેમાંથી બહાર નીકળવું તેમને માટે અત્યંત દુર્ધર બની ગયું હતું. તેથી આત્મા સિવાયના દરેક કામમાં તેઓ નિષ્કામ અને ઉદાસીન રહેતા હતા. ચિત્ત આપોઆપ સ્વરસથી ચૈતન્યમાં વહ્યા કરતું હતું અને તેથી બીજા કાર્યમાં લગાવી શકાતું નહીં. વ્યાપારાદિ પ્રસંગે ચિત્ત ઉદાસીન રહેતું હોવાથી અનેક મુશ્કેલીઓ નડતી. ચિત્ત અંતર્મુખ હોય એટલે વ્યવહારમાં યથાયોગ્ય પ્રવર્તન થઈ શકતું નહીં અને તેથી બાહ્ય કાર્યો અવ્યવસ્થિત થતાં હોવાથી અન્યનું ચિત્ત દુભાય એવી સ્થિતિ પણ ઊભી થઈ જતી. આમ, આત્મઐક્ય સ્થિતિના કારણે શ્રીમદ્દનું ચિત્ત જરા જેટલી પણ ઉપાધિ વેદનાને યોગ્ય ન હતું, છતાં પૂર્વકર્મનો ઉદય જાણી શ્રીમદ્ તેને અબંધપરિણામે વેદતા હતા. આ ઉપાધિયોગ વેદવો તેમને કેટલો આકરો થઈ પડ્યો હતો તેનો ચિતાર વિ.સં. ૧૯૪૮ના અષાઢમાં પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈને આપતાં શ્રીમદ્ લખે છે – જોકે અમારું ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવોરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિષે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું, અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૧૦ (પત્રાંક-૩૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy