SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ આ તબક્કામાં બાહ્ય ગૃહસ્થાશ્રેણી અને અંતરંગ નિગ્રંથશ્રેણીના દ્વન્દના કારણે તેમને પરમાર્થમાર્ગ પ્રકાશવાની ઇચ્છા સાવ ગૌણ કરી નાખવી પડી હતી તથા તેઓ પરિચિત વર્તુળથી પણ બને ત્યાં સુધી ગુપ્ત રહેવાની વૃત્તિ સેવતા હતા. તેઓ લખે છે – “ઘણું કરીને આત્મામાં એમ જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિપ્રસંગે અને ધર્મના જાણનારરૂપે કોઈ પ્રકારે પ્રગટપણામાં ન અવાય એ યથાયોગ્ય પ્રકાર છે. વેપારપ્રસંગે રહેતાં છતાં જેનો ભક્તિભાવ રહ્યા કર્યો છે, તેનો પ્રસંગ પણ એવા પ્રકારમાં કરવો યોગ્ય છે, કે જ્યાં આત્માને વિષે ઉપર જણાવેલો પ્રકાર રહ્યા કરે છે, તે પ્રકારને બાધ ન થાય. એક તરફ અસહ્ય ઉદયઉપાધિ વેદવી અને બીજી તરફ અખંડ આત્મસમાધિ જાળવવી, એવું બેધારી તલવાર ઉપર ચાલવાના કાર્ય કરતાં પણ વિકટ કાર્ય શ્રીમદ્ કરવું પડતું હતું અને તેથી અવકાશના અભાવે શ્રીમદે અનિવાર્ય ઉદયઉપાધિ સિવાયનો બીજો બધો વ્યાવહારિક સંગ-પ્રસંગ બંધ કરી દીધો હતો, એટલું જ નહીં પણ પરમાર્થપ્રસંગીઓ સાથેનો પત્રવ્યવહાર પણ તેમણે ઓછો કરી નાખ્યો હતો. ઘણી વાર તો એવું બનતું કે પત્ર લખવો શરૂ કર્યા પછી ઉપયોગ આત્માકાર થતાં તે પત્રને તેઓ અધૂરો જ મૂકી દેતા. આમ, તીવ્ર ઉપાધિયોગ અને ચિત્તની ચૈતન્યમય દશાના કારણે પરમાર્થલેખનમાં સ્થિર રહી શકાય તેટલો અવકાશ પણ રહેવા પામતો ન હોવાથી, શ્રીમદે વિ.સં. ૧૯૪૮ થી વિ.સં. ૧૯૫૧ સુધી પ્રાયઃ પરમાર્થમૌન ધારણ કરી, પરમાર્થલેખનની પ્રવૃત્તિ તથા પરમાર્થચર્ચાના પ્રસંગો ગૌણ કરી દીધા હતા. વિ.સં. ૧૯૪૮ના પોષ સુદ ૭ના પત્રમાં શ્રીમદ્ લખે છે – “કોઈ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૮૦ (પત્રાંક-૪૬૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy