SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ હતું. તે ઉપાધિયોગ દરમ્યાન પણ તેઓ પોતાની અંતરંગ શ્રેણી તો જાળવી જ શક્યા હતા. માત્ર પોતે ઇચ્છેલો સર્વસંગપરિત્યાગ તેઓ કરી શક્યા ન હતા અને તે જ સૌથી મોટો અવરોધ હતો. આમ, તેમની સાચી ઉપાધિ એ જ હતી કે તેમની નિવૃત્તિ લેવાની ભાવના જેમ જેમ વધતી હતી, તેમ તેમ નિવૃત્તિ તેમનાથી દૂર ભાગતી હતી. આ ઇચ્છા વિરુદ્ધ કરવું પડતું પ્રવર્તન તે જ તેમની સૌથી મોટી ઉપાધિ હતી. તેઓ લખે છે - ‘ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઇચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિનો ભીડો છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતાં કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણાને અત્યંત યોગ્ય છે; પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે.’૧ ઉપર્યુક્ત લખાણ દ્વારા સમજી શકાય છે કે શ્રીમદ્ અત્યંત અનિચ્છાએ, તથારૂપ પ્રારબ્ધોદયના કારણે વ્યાપારપ્રવૃત્તિ કરતા હતા અને તેમાં પણ મુખ્યપણે પરેચ્છાના કારણે જ તેમને ઉપાધિપ્રસંગમાં પ્રવર્તવું પડતું હતું. તેમાંથી ત્વરાથી છૂટવાની ઇચ્છા હોવા છતાં તેમ ન કરવાનું મુખ્ય કારણ એ હતું કે તેમ કરવા જતાં સાથે જોડાયેલા બીજાઓને તીવ્ર ક્લેશ અને કર્મબંધનું કારણ થાય તેમ હતું. બીજાનું ચિત્ત દુભાય અને અશાંતિ ઊપજે તે શ્રીમદ્દ્ના કોમળ હૃદયને પરવડે તેમ ન હતું. તેથી સર્વને શાંતિ ઊપજે તેવું વર્તન કરવા જતાં તેમને ઉપાધિ વેદવી પડતી હતી, જે તેઓ સમતાપૂર્વક વેદતા હતા. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૯ (પત્રાંક-૪૩૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy