SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ શ્રીમન્ને વિ.સં. ૧૯૪૭માં શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થઈ, અર્થાત્ આત્મા સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધ થયો. દેહથી ભિન્ન એવા આત્માનો નિર્વિકલ્પ નિશ્ચય થયો અને યોગથી ઉપયોગ છૂટો થઈ આત્મામાં સમાઈ ગયો. આત્માનુભવ થતાં સ્વરસનો અપૂર્વ આનંદ અનુભવમાં આવ્યો. આનંદના દરિયામાં આત્મા મગ્ન થયો. અંતરમાં આત્મશાંતિનું અદ્ભુત, અપૂર્વ, અચિંત્ય વેદન થયું. સ્વ-પરના વિવેકપૂર્વકનું ભેદજ્ઞાન નિરંતર વર્તવા લાગ્યું. શુદ્ધ આત્મતત્વમાં એકત્વબુદ્ધિરૂપ પ્રતીતિ સતત વર્તવા માંડી. મન-વચન-કાયાના યોગથી ભિન્ન આત્માને જાણતાં અને તેમાં સ્થિર થતાં શ્રીમદ્ સાક્ષાત્ જીવન્મુક્તદશા અનુભવી રહ્યા હતા. પોતાના પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈને પોતાની વિદેહી અંતરદશા વર્ણવતાં આ જ વર્ષ(વિ.સં. ૧૯૪૭)ના અષાઢ માસમાં મુંબઈથી શ્રીમદ્ લખે છે – એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. સંસારવ્યવહાર ચલાવતાં શ્રીમદ્ કેટલી અસંગતા પ્રાપ્ત કરી શક્યા હતા તે ઉપરનાં વચનોથી જાણી શકાય છે. આવી અસંગ આત્મસ્થિતિમાં બેઠેલા શ્રીમદ્ દેહથી પણ ઉદાસીન થઈ ગયા હતા, તે એટલે સુધી કે દેહનું અસ્તિત્વ છે કે કેમ તેનું પણ વિસ્મરણ થઈ જતું હતું. આ ઉપરથી શ્રીમની અલૌકિક આત્મમસ્તી કેવી હશે તેનો કંઈક અંશે ખ્યાલ આવે છે. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૦ (પત્રાંક-૨૫૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy