SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ આમ, વિ.સં. ૧૯૪૭માં શુદ્ધ સમકિત પ્રકાશ્ય ત્યારથી શ્રીમન્ની આત્મદશા તીવ્ર વેગથી ઉત્તરોત્તર વધતી જતી હતી. અંતરંગ વૈરાગ્યમાં અત્યંત વધારો થયો હોવાથી, સર્વસંગપરિત્યાગ કરી, બાહ્યાંતર નિર્ગથ થવાની તેમની ભાવના તીવ્ર થવા માંડી હતી. ત્યાં તેમનાં પૂર્વબદ્ધ કર્મોએ નવું સ્વરૂપ પકડ્યું. જેમ જેમ આત્મદશા વધતી ગઈ, તેમ તેમ બાહ્ય જીવનમાં વ્યવહારની ઉપાધિ પણ વધતી ગઈ. શ્રીમદ્ જેમ જેમ તેનાથી છૂટવાનો પ્રયત્ન કરતા હતા, તેમ તેમ તે ઉપાધિયોગ વધતો જતો હતો, અંશ પણ ઘટતો ન હતો. શ્રીમદે સ્વયં પોતાના આત્મવૃત્તાંતરૂપ કાવ્યમાં તેનો નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે.૧ અગાઉ જણાવ્યું તેમ કૌટુંબિક સંજોગાદિના કારણે પરેચ્છાથી શ્રીમન્ને વ્યાપાર-વ્યવહારમાં ઝંપલાવવું પડ્યું હતું. તેમણે પોતે જ શ્રી રેવાશંકરભાઈને વ્યાપારની પ્રેરણા કરી હતી અને તેમની સાથે ભાગીદારીમાં જોડાઈ રેવાશંકર જગજીવનની કમિશન એજન્સી સ્થાપી હતી. તે વખતે શ્રીમની ધારણા એવી હતી કે પોતે જેમ બને તેમ ત્વરાથી આ વ્યવહારપ્રવૃત્તિથી નિવૃત્ત થઈ, સર્વસંગપરિત્યાગ કરીને પરમાર્થમાર્ગનો ઉદ્ધાર કરી શકાશે. પરંતુ વિ.સં. ૧૯૪૮થી આ ઉપાધિયોગ તીવ્ર બન્યો. એ વર્ષમાં તેમની પેઢીનો વેપાર વધ્યો હોવાથી તેમાં વિશેષ સમય પસાર થઈ જતો. આ વર્ષના શ્રીમના પત્રોમાં આ ઉપાધિયોગના બળવાનપણાનો ઉલ્લેખ વારંવાર આવે છે. વ્યાવહારિક રીતે જોઈએ તો તેમની મુશ્કેલીઓ એવી કઠિન ન હતી કે જેથી તેમને કોઈ સાંસારિક દુઃખ વેઠવું પડે. વળી, તે ઉપાધિયોગથી તેમનો આત્મા ક્લેશિત થતો હોય તેવું પણ ન ૧- “શ્રીમદ્ રાજચંદ્ર, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૦૧ (હાથનોંધ-૧, ૩૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy