________________
કુણાલા નગરીને નાશ (ભવિષ્ય કથન)
૪પ૯ કરીને પિતનપુર નામના નગરે પહોંચ્યા. ત્યાં પણ વીર, શિવ, ખંડભદ્ર વગેરે ઘણુ રાજાઓને દીક્ષા ગ્રહણ કરાવીને બકુલા” નામની નગરીએ પહોંચ્યા. ત્યાં પણ દેએ સમવસરણની રચના કરી. ભગવંતે દેશના શરૂ કરી. કથાંતર જાણવા છતાં લેકેને પ્રતિબોધ કરવા માટે ગૌતમ ગણધરે ભગવંતને પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત! આ કુણલાનગરી મુનિના શાપથી જળવડે તણાઈ જશે” એમ લકવાયકા સંભળાય છે, તે આપ કહે કે, આ પ્રસંગ કેવી રીતે ઉત્પન્ન થશે ? ભગવંતે કહ્યું કે, “હે દેવાનુપ્રિય ! તે હકીકત સાંભળો–
કેઈક વખતે ચેમાસાના નજીકના કાળસમયે “કરિષણ, અને કટુક નામના બે અનિઓ ચાતુર્માસ રહેવા માટે આ નગરીમાં આવ્યા. નગરના જળ વહેતા પ્રદેશમાં પોતાની વસતિ નકકી કરીને બંને મુનિઓ ત્યાં રહેલા હતા. નગરીની અંદર રહેલા અમને વર્ષાજળને ઉપદ્રવ ન થાય એમ ચિંતવીને “નગર બહાર વરસાદની જરૂર છે, અંદર વરસાદની શી જરૂર છે ? – એમ વિચારીને નગરની અંદર પડતા વરસાદને થંભાળે. નજીક રહેલા કેઈક તેમના ભકિતવાળા દેવે તે વાત માન્ય કરી. એમ દિવસ પસાર થઈ રહ્યા હતાં. જ્યારે નગરીની બહાર વરસાદ વરસતે હતા, ત્યારે લોકો બોલવા લાગ્યા કે, નગરીમાં વરસાદ શાથી નથી આવતો? નક્કી નગરીમાં કઈ મહાપાપ કરનારો રહે છે, નહિતર વરસાદ નગરીમાં કેમ જળ ન વરસાવે ? આ સમયે કઈક બ્રાહ્મણે કહ્યું કે, “આ નગરના જળાશય પાસે દ્વારભાગમાં જે તાંબર ષિઓ વસેલા છે, જે તેમને નગરીમાંથી નિવસિત કરી બહાર કાઢી મૂકવામાં આવે, તે નગરીમાં વરસાદ પડશે.” એમ કહ્યું. એટલે તે બ્રાહ્મણની સાથે સમગ્ર નગરલેક આવ્યા. ઢેફાં વગેરેના પ્રહારથી ઉપદ્રવ કરીને ઉપસર્ગ કરવા લાગ્યા. તે ઉપદ્રવથી અત્યંત કંપતા, પરેશાન થતા મનમાં પ્રચંડ કપ પામતા મુનિએ બહાર નીકળવા લાગ્યા. બહાર નીકળતાં તેમણે કહ્યું કે – હે દેવ ! આ કુણલા નગરીમાં પંદર દિવસ સુધી મુશલ પ્રમાણ સ્થૂલ ધારાથી વરસાદ વરસાવ, જેવી રીતે રાત્રે, તેવી જ રીતે દિવસે પણ તેવી જ માટી ધારાથી જળ વરસાવ'
એમ કહેતાં જ નજીકના કેઈક ભક્ત દેવતાએ તે પ્રમાણે જળ વરસાવ્યું. કેવી રીતે?— જળવાળા મેઘના પ્રચંડ ઉત્પન થતા ગરવના કારણે દે અને મનુષ્યોનાં મજબૂત હૃદયનાં બંધને સાથે જાણે ગગન ફુટતું હોય. સજળ મેઘ અને પવન પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતા ગરવના અવાજે કરતો, જાણે રેષાયમાન થઈને હોય તેમ શૂલધારાથી વરસતા વરસાદ મોટો નગર-વિનાશ સર્જતે હતે. ઉપરા ઉપરી ચાલુ રહેતી ચપળ ચમકતી ભયંકર રીતે વૃદ્ધિ પામતી કાંતિવાળી વિજળી ભુવનને જાણે બાળીને ભસ્મ કરવા માટે ન હોય તેમ ચમકવા લાગી. બિલકુલ અટકયા વગર સતત સ્થિર સ્થૂલ ધારાના પડવાથી ગર્જારવ કરેલ ભૂમિપટને જાણે ફાડી નાખતા કેમ ન હોય ? તે સમયે ચારે બાજુ એકદમ ઉત્પન્ન થએલા સખત એકધારા વરસવાના કારણે જળ-ધારાથી ઘવાએલા દેડકાએ મરછ પામવા લાગ્યા. કમળ સરોવરમાં વૃદ્ધિ પામતા જળથી ખરી પડેલા પત્રપુટવાળા, કંઈક બૂડી જવાના ભયથી ઉડી જતા ભ્રમરસમૂહવાળાં કમલવને ઉપર જળપ્રવાહ ફરી વળે. જળધારા પડવાથી હણુએલા કમલપત્રના કેસરાવાળા અને વર્ષો જળથી ભીંજાએલા ઢીલા પડીને લબડી પડતા મારપીછના કલાપના ભારવાળાં મોરકુલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org