________________
મઘવા અને સનતકુમાર ચક્રવતી
૧૮૯ હતા. ૪૨ ધનુષ ઊંચી કાયાવાળા, પાંચ લાખ વર્ષના આયુષ્યવાળા તેને શું થયું?–આ પ્રમાણે વિવિધ પ્રકારની શ્રેષ્ઠ રમણીઓના સમાગમમાં રહી સુખ ભોગવતા આ નરેંદ્રની આયુધશાળામાં અમોઘ શ્રેષ્ઠ ચકરત્ન ઉત્પન્ન થયું. આ નરેન્દ્ર ચકે બતાવેલ માર્ગે પ્રયાણ કરીને ભરતક્ષેત્રને પિતાને આધીન કર્યું. ચૌદ રત્ન સાથે નવ નિધાને પણ ઉત્પન્ન થયાં. ૬૪ હજાર યુવતીઓનું તે પતિપણું વહન કરતો હતો અને ૩૨ હજાર રાજાઓ તેમની આજ્ઞામાં વર્તતા હતા. પાંચ લાખ [વર્ષનું] પૂર્વનું આયુષ્ય પાલન કરીને વિધિપૂર્વક સમ્યકત્વથી પરિશુધ્ધ જિનપદિષ્ટ ધર્મની આરાધન. કરીને તથા પ્રવચન–શાસનની પ્રભાવનાનાં કાર્યો, પ્રભુભક્તિ, દાન આદિ કાર્યોમાં ઉધમવાળે, જિનબિંબ, જિનચૈત્ય, જિનાભિષેક–મહેન્સ આદિ ધર્મકાર્યો વડે પિતાને જન્મ સફળ કરતા હતા. આયુષ્ય પાલન કરી મૃત્યુ પામીને તે સનતકુમાર દેવલોકમાં શ્રેષ્ઠ વિમાનમાં ઈંદ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયે.
શ્રીમહાપુરુષચરિત વિષે મઘવા ચક્રવર્તીનું ચરિત્ર પૂર્ણ થયું. [૨૮]
(૨૯) સનતકુમાર ચક્રવર્તીનું ચરિત્ર પિતાના રૂપથી સમગ્ર જગતના રૂપને ઝાંખું કરનાર, દેવ, અસુરો અને મનુષ્યના રૂપથી અધિક રૂપવાળા સનકુમાર નામના ચક્રવર્તીનું ચરિત્ર તમે શ્રવણ કરે.
જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં, જેમાં વિવિધ પ્રકારના મણિ-જડિત ભવન-ભિત્તિની કાંતિ વડે અંધકાર દૂર થયો છે, ઊંચા ફ્લિાવાળું, પાતાલ સરખી ઊંડી ખાઈથી શોભાયમાન, કમલિનીના વનખંડથી શોભાયમાન અને વાવડીઓ વડે મનહર “હસ્તિનાપુર' નામનું નગર હતું. તે નગરમાં દરેક શત્રુઓને તાબે કરનાર “વિશ્વસેન” નામને રાજા હતો. તેને સહદેવી” નામની પટ્ટરાણી હતી. તેઓને સર્વાગ સુંદર, દેવ-દાનવોની રૂપ-સમૃદ્ધિથી અધિક રૂપસમૃધિવાળ સમગ્ર કળાનિધિ “સનકુમાર” નામને પુત્ર હતું. તેને સૂર્યપુત્ર અને કાલિંદિને નંદન મહેન્દ્રસિંહ નામને મિત્ર હતું. પટ્ટરાણી સાથે વિષયસુખ અનુભવતાં તેને સમય પસાર થઈ રહ્યો હતો.
કેઈક સમયે કર્મ પરિણતિની વિચિત્રતાથી તેવા ભાવનું અવશ્ય ભાવિપણું હોવાથી સનસ્કુમાર ઘોડા ઉપર બેસીને અશ્વ-વાહનિકા માટે નીકળે. મહેન્દ્રસિંહ સાથે ઘણા પ્રકારના અને વહન કરીને વિચિત્ર કીડાઓ ખેલીને ભેટણામાં આવેલા એક અબ્ધ ઉપર સ્વાર થયો. વિપરીત શિક્ષાવાળા-અવલચંડ તે અશ્વ ઉપર આરૂઢ થઈને તેને છેડ્યો, એટલે તે અશ્વ પંચમધારાથી દોડવા લાગ્યું. ઉદ્યાનના અગ્રભાગમાં આગળ વધીને લગામ ખેંચી એટલે અવળા શિક્ષણવાળે અશ્વ હોવાથી એકદમ ખૂબ જ દોડવા લાગ્યું. ફરી વધારે મજબૂતાઈથી લગામની દેશી ખેંચી તે તેથી વધારે વધારે વેગથી દોડવા લાગ્યો. તેની પાછળ બીજે સમગ્ર રાજસમૂહ દેડી રહેલ. તે સર્વની મધ્યમાંથી યમરાજા સરખા આ અવે એકલા સનકુમારનું અપહરણ કર્યું. કેવી રીતે ? આ ચાલ્ય, આ જાય છે, આ ગયે, આ દેખાતે બંધ થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org