________________
ધર્મને લગતાં કર્મકાંડો અને તેનો ફલાતિદેશ – ૭૭ કર્મકાંડોનું અનુષ્ઠાન કરનાર ધર્મને પામી શકે છે કે કેમ, એ ખાસ વિશેષ રીતે વિચારવાનું છે.
કર્મકાંડોની આમ તો ભલે વિવિધ જાતો હો, પરંતુ તેના પ્રધાનતઃ બે પ્રકાર છે : એક આંતર કર્મકાંડ અને બીજું બાહ્ય કર્મકાંડ. આંતર કર્મકાંડ દ્વારા મન કેળવાય છે અને સાથે સાથે જ બાહ્ય કર્મકાંડ દ્વારા શરીર અને વાણી કેળવાય છે. કોઈ પણ સારી કે માઠી પ્રવૃત્તિનું મૂળ ઉદ્ભવસ્થાન મન છે. મનમાં જે જાતનો નિશ્ચિત સંકલ્પ હોય છે, તે જ જાતનો તેનો બહાર પડઘો પડે છે. માટે બધા શાસ્ત્રકારોએ એક મતે કહેલું છે, કે “મન: વ મનુષ્યાળાં ઝારનું વધમોક્ષયોઃ” (માણસોનું મન જ તેમનાં બંધન અને મુક્તિનું કારણ છે.) વળી, ધ્યાનપદ્ધતિના પારગામી શાક્યમુનિએ તો આગળ વધીને એમ પણ કહેલું છે કે, “મનોપુત્રંગમા ધમ્મા મનોસેડ્ડા મનોમયા' (પ્રવૃત્તિમાત્રમાં મન અગ્રેસર રહે છે, પ્રવૃત્તિમાત્રમાં મન શ્રેષ્ઠ છે અને એથી જ પ્રવૃત્તિમાત્ર મનોમય છે.)
આ ઉપરથી એક આ વાત તો સ્પષ્ટ કળાય છે, કે જીવનમાં ધર્મને ઓતપ્રોત કરવા માટે તેની સ્થાપના મનમાં કરી લેવી જોઈએ. મનમાં તે બાબત દૃઢ..સંકલ્પ થવો જોઈએ. જે જે અહિંસા, સત્ય વગેરે ધર્મસાધનાના આચારો છે, તે બધા મનમાં સજ્જડ રીતે જડાઈ જવા જોઈએ. આ સિદ્ધિ માનવને મળી જાય તો તેને સહેજે ધર્મપ્રાપ્તિ પણ થઈ જ જાય. જ્યાં સુધી માનવ પોતાના મનમાં નિશ્ચિતપણે એમ ન સમજતો હોય કે ‘ભૂતમાત્રમાં અને મારામાં કશો ભેદ નથી, બધાં ભૂતો તે જ હું છું અને હું છું એ જ બધાં ભૂતો છે' ત્યાં સુધી તે ખરા અર્થમાં કદી પણ અહિંસક થઈ શકતો નથી, સત્યવાદી બની શકતો નથી, ચોરીથી પોતાની જાતને દૂર રાખી શકતો નથી, પરિગ્રહનો સદુપયોગ કરી શકતો નથી અને શક્તિનો અપવ્યય કરતાં પણ તે અચકાતો નથી. પછી ભલે તે હજારો કર્મકાંડો કરે, એટલે કે તીર્થયાત્રાઓ કરે, સદાવ્રતો બાંધે, પાંજરાપોળો ચલાવે કે મોટા યજ્ઞો કરે વા મોટી મોટી પૂજાઓ રચાવે. તેનાં એ કર્મકાંડો કેવળ પ્રતિષ્ઠાનાં પોષક છે વા તેની નબળાઈનાં ઢાંકણાં છે વા તેને માટે કાલ્પનિક સંતોષ આપી શકે તેવાં બની રહે છે. ચિત્ર કાઢવા માટે હજારો પ્રયત્ન કરીને પણ પહેલાં ભૂમિશુદ્ધિ કરવી પડે છે અને તેમ થાય તો જ ચિત્રકારનો પ્રયત્ન દીપી નીકળે છે; પરંતુ ભૂમિ જ અશુદ્ધ હોય તો તો પછી, ભલેને ચિત્રકાર કુશળ હોય અને તેની પાસેનાં સાધનો સારામાં સારાં હોય, તો પણ ભૂમિદોષને લીધે ચિત્રકાર હારી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org