SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ • સંગીતિ જૈન મહાપુરુષે કહ્યું અને આચર્યું, તેમ બૌદ્ધ મહાપુરુષે પણ એ જ રીતે પોતાનો સ્વાનુભવ કહ્યો છે અને એ જ રીતે એમનું આચરણ પણ હતું. આટલા ઉપરથી એમ ફલિત થાય છે કે બ્રહ્માંડમાં સર્વત્ર ચેતનતત્ત્વ વ્યાપ્ત છે અને સર્વત્ર સમ છે. પછી એના આવિર્ભાવનું વાહન ભલે મનુષ્ય હોય કે વૃક્ષ હોય. આમ છે માટે જ તે એકાત્મતાના અનુભવની સાધના માટે બધાં ભૂતોમાં સમદષ્ટિ રાખો, કોઈનું કાંઈ હરી ન લો, સાચું બોલો, જીવનશુદ્ધિમાં અને સંઘર્ષના નિરોધમાં પરિગ્રહનો જે રીતે ઉપયોગ થાય તે રીતે તેની યોજના કરો, ભોગવિલાસોને ઔષધ સમજી તથા આપણું જીવન ચલાવવાનાં જે રાચરચીલાં છે, તે બધાં કોઈ ને કોઈ રીતે ચૈતન્ય દ્વારા જ નિર્માયેલાં છે, માટે તેનો ઉપયોગ પણ ઔષધની જેમ કરો. આ અને આવાં બીજાં પ્રવચનો આપણે સારુ પૂર્વપુરુષો કહી ગયા છે, અને એ રીતે વર્તવું એનું જ નામ ધર્મ છે અને એનું જ નામ એકાત્મતા છે. આ ધર્મનું પરિણામ, તેને આચરનારો પોતાની નરી આંખે જોઈ શકે એવું હોય છે, પરંતુ એમ નથી જ હોતું કે એ ધર્મ આ જીવનમાં સાધ્યો અને તેનું પરિણામ આ જીવનમાં ન દેખાય. જયાં આવું હોય ત્યાં નક્કી સમજવું કે સાધકે ધર્મને સાધ્યો જ નથી, પરંતુ કોઈ ભળતી જ એવી ધર્માભાસી સાધના કરેલી છે. ઉક્ત ધર્મને સાધવા માટે તે તે ધાર્મિક પુરુષોએ પોતે જાતે અનુભવેલી કેટલીક બાહ્ય અને આંતર પદ્ધતિઓ પણ બતાવેલી છે, જેમનું એકે નામ ‘કર્મકાંડ છે. જેમકે ચિંતન, મનન, નિદિધ્યાસન, ધ્યાન, સંકલ્પશુદ્ધિ તથા યજ્ઞો, પૂજાપાઠ, તીર્થયાત્રા, સંતસમાગમ, સાધુ-સંન્યાસીની સેવા, દાનવૃત્તિ, દયાભાવવાળી પ્રવૃત્તિ વગેરે વગેરે કર્મકાંડો’ કાળે કાળે બદલાતાં રહે છે. આચરનારની પરિસ્થિતિ પ્રમાણે તેમની યોજનાઓ થતી રહે છે. પરંતુ આમાં એક વાત એ તો જોવાની જ કે તે બધાં કર્મકાંડો તેના મૂળરૂપ ધર્મને બરાબર અનુરૂપ જ હોવાં જોઈએ. સીડીનાં પગથિયાં ઉપર ચડીને માનવ પોતાની ધારેલી જગ્યાએ પહોંચે છે, અને તો જ એ સીડીને ખરી સીડી સમજે છે. જે સીડી ઉપર ચડવા છતાં જો ધારેલી જગ્યા સુધી ન પહોંચાય, તો તે ખરી સીડી નથી જ, પરંતુ સીડીનો આભાસ કરાવે એવું બીજું જ કાંઈ છે. તેમ જ કર્મકાંડો કરતો કરતો માનવ, જે માટે તે કર્મકાંડો યોજાયાં છે તે હેતુને ન પામે અને કર્મકાંડો ચાલ્યા જ કરે, તો સમજવું કે એ ઉદિષ્ટ માટેનાં સાચાં કર્મકાંડો નથી, પરંતુ કોઈ પ્રકારની ઇંદ્રજાળ છે. અહીં કર્મકાંડો કે તેની વિવિધતા વિશે કશું કહેવાનું નથી. ભલે કર્મકાંડો વિવિધ હો વા સંખ્યાતીત હો, પરંતુ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy