________________
ધર્મને લગતાં કર્મકાંડો અને તેનો ફલાતિદેશ • ૭૫ સોદો રદ છે. તને એ બાબતનું કશું બંધન નથી. વળી, જયારે ભાવ નીચા થાય ત્યારે વાત.” પણ આટલાથી જ પેલા વેપારીને કદાચ સંતોષ ન થાય એમ ધારીને આપણા નીતિમાન વેપારીએ સોદાને રદ કરવા બાબત પોતાના સહીસિક્કા સાથેનું લખાણ કરી તે વેપારીને સુપરત કર્યું. આ સોદો રદ કરવામાં જે પ્રબળ ભાવનાએ ફાળો આપ્યો છે, તેનું જ નામ ધર્મ સમભાવએકાત્મતા વગેરે જે કહો તે એક જ છે.
આવી એકાત્મતાનું આચરણ માનવમાત્રમાં પ્રકટે, અને માનવ તેનો વ્યાપ પોતાની બધી પ્રવૃત્તિમાં કરે; અને તે પણ બધા ચેતનમય કે ચેતન દ્વારા નિર્માયેલા પ્રત્યેક પદાર્થ સુધી વ્યાપે. એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને જ આપણા પૂર્વજોએ પોતપોતાનાં પ્રવચનો આપેલા છે. તેઓ જાણતા જ નહીં, પણ અનુભવતા હતા કે જયાં સુધી તેમણે કહ્યા પ્રમાણેનો વ્યાપ આપણા જીવનમાં ન થાય, ત્યાં સુધી કોઈ સંઘર્ષ તલભાર પણ અટકવાનો નથી. ઉક્ત એકાત્મતાની સિદ્ધિ માટે તેઓમાંના વૈદિક મહાપુરુષે કહ્યું કે “મા હિંસ્થાત્ સર્વાન મૂતાનિ' (બધાં ભૂતોની હિંસા ન કરો), જૈન મહાપુરુષે એ જ વાત એ વખતની લોકભાષામાં કહીઃ ધમ્પો કંડાનં કું, હિંસા સંગમો તવો' (અહિંસા સંયમ અને તપ એ ધર્મ છે અને તે જ ઉત્કૃષ્ટ મંગલ છે). આ વાતમાં વેદોક્ત “હં'ની સાથે સંયમ અને તપ એ બે વસ્તુ વધેલી છે. અનુભવથી એમ સિદ્ધ થયું છે, કે એકાત્મતાની સાધક એવી અહિંસાના આચરણ માટે સંયમ અને તપ એ બન્નેની જરૂર છે. સંયમ અને તપ વિના કોઈ પણ રીતે અહિંસાને સાધી-આચરી શકાતી જ નથી. આ સંયમનો અર્થ કાંઈ ગેરુવાં કે કેસરિયાં વા ધોળાં કપડાં પહેરવાં કે કપડાટ વિના જ રહેવું એટલો જ નથી, અને તપનો અર્થ ઉપવાસો કરવા કે એકાદશીઓ, ચાંદ્રાયણ વગેરે કરીને ભૂખ્યા રહેવું એ પણ નથી. આગળ કહેલા વેપારીના દાખલામાં અહિંસાને આચરનાર એ વેપારીએ પેલા સામા વેપારીને બચાવવા જે અલોભવૃત્તિ દાખવી તેનું જ નામ સંયમ; અને એ અલોભવૃત્તિ દાખવતાં જે જે ભૌતિક સુખો તેને તજવાનાં આવ્યાં, તેનું નામ તા. એ વેપારીએ જો અલોભવૃત્તિરૂપ સંયમ ન દાખવ્યો હોત વા ભૌતિક સુખો તરફ ન લલચાતાં જે સ્થિતિ છે તે જ ચલાવી લેવાનું તપ ન આચર્યું હોત, તો કદી પણ પેલો સામો વેપારી સુરક્ષિત ન રહી શકત. આ રીતે સંયમ અને તપ એ બે અહિંસાને ચાલવાના પગ છે. એ બે પગ ન હોય તો અહિંસાનો સંભવ જ નથી. અને જ્યાં અહિંસા નથી, ત્યાં એકાત્મતાનો સંભવ પણ નથી. જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org