________________
૭૪ સંગીતિ વિશેષ મનોબળ પણ તે ધરાવી શક્યો છે.
વધારે સમાજ માટે બીજો એક ચાલુ દાખલો પણ દઉં.
એક વેપારી નીતિને રસ્તે ચાલી પોતાનો ધંધો કરી રહ્યો છે, ખોટું બોલતો નથી, માલમાં સેળભેળ પણ કરતો નથી, ધર્મ, અર્થ અને કામ એ ત્રણે એકબીજાના પોષક થાય એ રીતે સાધે છે. ખર્ચ જરૂરિયાત જેટલું રાખે છે અને જરૂરિયાતો નકામી નકામી માત્ર વિલાસને અર્થે જ ન વધે તે બાબત પૂરતી કાળજી રાખી બધી પ્રવૃત્તિ કરે છે. અને તે એટલે સુધી પણ સમજી શકયો છે કે “જીવો અને જીવવા દો' એ જ સૂત્ર ખરું છે. પોતાના કુટુંબના જે ત્રણ કે ચાર સાથીઓ છે, તેમને પણ તેણે એ જ રીતે કેળવ્યા છે. એ કુટુંબ ધનમાં પ્રતિષ્ઠા નથી સમજતું, પરંતુ ધન પોતાની સાધનામાં જે રીતે જેટલું ઉપયોગી થાય તે દષ્ટિએ જ તેને મહત્ત્વ આપે છે. અને “પશમ વિવે સંવર' એ ત્રિપદીને અનુસરી તે પોતાનો ગૃહસ્થાશ્રમ ચલાવે છે. એવામાં તેણે કોઈ બીજા વેપારી પાસેથી પોતાના વેપારમાં જોઈતી કોઈ ચીજ માટે સોદો કર્યો અને ચીજ પૂરી પાડનાર વેપારી સાથે એ માટેના ભાવતાલ પણ નક્કી થયા, અને એ ભાવતાલને ધ્યાનમાં રાખીને સોદો લેનાર વેપારી, પેલા વેપારીને એ સોદો આપવા બંધાઈ પણ ચૂક્યો. એવામાં અકસ્માત રીતે એ ચીજના ભાવ, નક્કી કરેલા ભાવ કરતાં પાંચગણા વધી ગયા અને ચીજ પૂરી પાડનાર વેપારી વિશેષ ગભરાયો. આમ એ પાંચગણા ભાવે ખરીદી પેલા વેપારીએ નક્કી કરેલા ભાવે ચીજ પૂરી પાડે, તો તેનું ઘરભાર બધું જાય અને સહકુટુંબ ભારે આફતમાં આવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ. આ તરફ આપણા નીતિમાન અને ‘ઉપશમ વિવેક સંવરને અનુસારે પોતાનો ગૃહસ્થાશ્રમ ચલાવતા એ વેપારીએ જાણ્યું કે પોતે બીજા વેપારી પાસેથી જે ચીજ ખરીદવાનો છે, તે ચીજના દામ તો પાંચગણા થઈ ગયા છે અને એ રીતે ખરીદતાં તો સામો વેપારી ભારે હેરાન હેરાન થઈ જશે. એ પ્રકારે તે શાંત રીતે બધી પરિસ્થિતિ સમજી શક્યો અને પોતાનાં પત્ની વગેરે કુટુંબના સાથીઓને પણ તેણે એ પેલા વેપારીની વિષમ પરિસ્થિતિ સમજાવી. એટલે એ બધા ધનલોભના પ્રબળ વેગમાં ન તણાતાં પોતાના મનની સમતુલાને બરાબર સાચવી શક્યાં, અને આમાં કોઈને કશો ધક્કો ન લાગે એટલે આપણે બીજા સાથે, માત્ર એક લોભને જ ખાતર સંઘર્ષમાં ન આવવું પડે, એવો તેમણે બધાએ મળીને એક માર્ગ નક્કી કર્યો; અને તે એ કે પેલા વેપારીને બોલાવીને જણાવી દીધું કે “ભાઈ ! તારી સાથે કરેલો અમારો આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org