SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મને લગતાં કર્મકાંડો અને તેનો ફલાતિદેશ • ૭૩ ક્યાં ?” પરંતુ કોટવાળને તો ધન ઘણું મળેલું હતું, તેથી આજના સરકારી પોલીસોની જેમ પેલા શેઠની વિનંતિ તેના કાનમાં જઈ જ ન શકી. એટલે કોટવાળ અને તેના સાથીઓ તો ધનનાં પોટલાં ઉપાડી ત્યાંથી જ પાછા ફર્યા. હવે બિચારો એકલો શેઠ અને તેના પાંચ પુત્રો, સુસુમાને લઈ જતા પેલા ચેલૈયાની પાછળ પડ્યા. પરંતુ તેઓ તેને મેળવી જ ન શક્યા. ચેલૈયાએ જાયું કે, પોતે હવે વધારે દોડી શકે એમ નથી અને શેઠ તથા તેના પુત્રો પોતાની પાસે આવી પહોચે એમ છે; એથી સુસુમાને મેળવવા આટલો બધો ઉત્પાત કરનાર ચેલૈયાએ પોતાની વહાલી સુસુમાનું માથું કાપી નાખ્યું અને એકલું માથું લઈને જ તે ઘોર જંગલમાં આગળ ને આગળ દોડી ગયો. જયારે શેઠે પોતાની પુત્રીનું શબ જોયું ત્યારે તે પણ શોકથી રડવા લાગ્યો. છેવટે એ શબને પડતું મૂકીને શેઠ વગેરે પોતાને ઘરે પાછા ફર્યા અને છોકરીનું ઉત્તરકારજ કર્યું. આ તરફ પેલો ચેલૈયો પોતાની વાસનાના અસાધારણ વેગમાં જે અત્યાર સુધી પોતાનું ઈષ્ટ થશે એ આશાએ અવિરત રીતે દોડી રહ્યો હતો, તે થોડો ઢીલો પડી ગયો અને પોતાની પરિસ્થિતિ વિશે મૂઢ જેવો થઈ ગયો. એવામાં તે અરણ્યમાં જ એક સાધનાપરાયણ સમભાવી સાધકને તેણે જોયો, અને હવે પોતાને શી રીતે સુખ મળે એ દૃષ્ટિથી એ સાધકને તેણે સુખનો માર્ગ બતાવવા માટે રોફથી કહ્યું અને જે કહેવાનું હોય તે તદ્દન ટૂંકમાં કહી નાખવા પણ તેણે સાધકને પડકાર્યો. સાધક ઉપશમ વિવેક સંવર આટલા શબ્દો બોલીને જ અદશ્ય થઈ ગયો. આ શબ્દોને પેલા ચેલૈયાએ સાંભળ્યા અને પછી તે, એ પ્રત્યેક શબ્દના ભાવની વિચારણામાં પડયો. વિચારણા કરતાં કરતાં તેને કાંઈ નવી જ સૂઝ પડી અને અત્યાર સુધી તેણે જે રતે પોતાનું જીવન હંકાર્યું હતું, તેથી હવે ઊલટી જ દિશામાં જવાનો તે વિચાર કરવા લાગ્યો. અત્યાર સુધી જે સંઘર્ષ દ્વારા તેણે સમાજમાં અને પોતાના જીવનમાં ભારે ઉત્પાત મચાવેલો, તે સંઘર્ષથી તે અટકી ગયો અને શાંતિ અર્થાત્ ઓછામાં ઓછો સંઘર્ષ પણ જે જીવન જીવતાં સમૂળગો રહે નહીં તે જાતનું જીવન, વિવેક, સારાસાર, શુભાશુભ અને કાર્યાકાર્યનો વિવેક અને સંવર એટલે જે પ્રવાહ માનવને સંઘર્ષને માર્ગે વાળે છે, તે પ્રવાહને આવતો રોકી રાખવો; અને એ જ પ્રકારે મનની સ્થિતિને ઘડવી. આ રીતે એ ચેલૈયો માત્ર એ ત્રણ શબ્દની વિચારણાથી મનની સમતુલામાં આવી ગયો. હવે ગમે તે પ્રકારનું બળ તેને સંઘર્ષ તરફ ખેંચવા આવે, તો પણ તે પોતાની સમતુલાથી ખસતો નથી અને એવા બળનો સામનો કરી શકે એટલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy