________________
૨૪ - સંગીતિ सुवण्णवासं च वयरवासं च वत्थवासं च आभरणवासं च पत्तवासं च पुष्फवासं च फलवासं च बीअवासं च मल्लवासं च गंधवासं च चुण्णवासं च वण्णवासं च वसुहारावासं च वासिंसु ॥९७|| ।
"तए णं से सिद्धत्थे खत्तिए भवणवइवाणमंतरजोइसवेमाणिएहिं देवेहिं तित्थयरजम्मणाभिसेयमहिमाए कयाए समाणीए पच्चूसकालसमयंसि नगरगुत्तिए सद्दावेइ सद्दावित्ता एवं वयासी" ॥९८॥
કલ્પસૂત્ર. તે કાળે, તે સમયે ગ્રીષ્મઋતુના પ્રથમ માસમાં બીજા પક્ષમાં, ચૈત્રના શુક્લ પક્ષમાં, ચૈત્રી સુદિ ૧૩ના દિવસે નવ માસ પરિપૂર્ણ થયે, તદુપરાંત સાડાસાત દિવસ વીત્યે પૂર્વરાત્રિાપરરાત્રીના સમયે, હસ્તોત્તરા નક્ષત્રનો યોગ થયે, ત્રિશલા ક્ષત્રિયાણીએ ભગવાન મહાવીરને આરોગ્યપૂર્વક જન્મ આપ્યો. એમના જન્મપ્રસંગે બધા ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હતા. પ્રથમ ચંદ્રયોગ હતો, દિશા નિર્મળ, વિશુદ્ધ અને સૌમ્ય હતી, બધાં શકુનો અનુકૂળ હતાં ભૂમિસર્ષિ પવન પ્રદક્ષિણનો વાતો હતો, બધી પૃથ્વી ખીલેલી હતી, દેશો હર્ષિત અને આનંદિત હતા.
“જે રાત્રે ભગવાન મહાવીર જન્મ્યા તે રાત્રે બહુ દેવ અને દેવીઓના ઊતરવા તથા ઊપડવાથી પ્રકાશ થઈ રહ્યો હતો અને દેવોની કર્થકથા થઈ રહી હતી. (૯૬)
“જે રાત્રે ભગવાન મહાવીર જન્મ્યા તે રાત્રે ઘણા વૈશ્રમણ કુંડધારી તિર્યજાંગ દેવોએ સિદ્ધાર્થ રાજાના ભુવનમાં હિરણ્યની, સુવર્ણની, વજની, વસ્ત્રની, આભરણની, પત્રની, પુષ્પની, ફલની, બીજની, માલ્યની ગંધની, ચૂર્ણની, વર્ણની અને વસુધારાની વૃષ્ટિ કરી. (૯૭)
““ત્યાર પછી ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક દેવોએ તીર્થકરના જન્માભિષેકનો મહિમા કર્યો છતે સવારના પહોરમાં સિદ્ધાર્થ ક્ષત્રિયે નગરના રક્ષકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું : (૯૮)
"एए चउदस सुमिणे पासइ सा तिसलया सुहपसुत्ता। जं रयणिं साहरिओ कुच्छिसि महायसो वीरो ॥ तिहिं नाणेहिं समग्गो देवीतिसलाइ सो अ कुच्छिसि । अह वसइ सन्निगब्भो छम्मासे अद्धमासं च ॥ अह सत्तमम्मि मासे गब्भत्थो चेव अभिग्गहं गिण्हइ । नाहं समणो होहं अम्मापिअरम्मि जीवन्ते ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org