SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર-જીવનનો મહિમા ૦ ૨૧ આંધળાઓને આંખ મળે છે; બહેરાઓને કાન મળે છે; લૂલાં લંગડાઓની ખોડ મટી જાય છે; નિર્ધનિયા ધન પામે છે; કેદીઓ અને પુરાયેલાં છૂટાં થાય છે; આવીચિ વગેરે બધા નરકોમાં પ્રાણીઓનાં દુ:ખ ટળી જાય છે. તિર્યંચયોનિક પ્રાણીઓનો પારસ્પરિક ભય શમી જાય છે અને યમલોકના જીવોનાં ભૂખ વગેરે દુઃખ મટે છે.” પૃ. ૯૮ “જ્યારે તત્ત્વદર્શકનો જન્મ થવાનો હોય છે ત્યારે અગ્નિ શાંત થાય છે, નદીઓ સુવ્યવસ્થિતપણે વહે છે અને પૃથિવી કંપે છે.” પૃ. ૧૧૨ ૩.“હે ભિક્ષુઓ ! જ્યારે બોધિસત્વ જન્મે છે, ત્યારે તેની માતાની કૂખનું પડખું અક્ષત અને અનુપહત હોય છે—જેવું જન્મ્યા પહેલાં હોય છે તેવું જ જન્મ્યા પછી હોય છે. પાણીના ત્રણ કૂવાઓ બની જાય છે, સુગંધી તેલની તળાવડીઓ બની જાય છે, પાંચ હજાર અપ્સરાઓ સુગંધી તેલ લઈને બોધિસત્ત્વની માતા પાસે આવે છે અને સૂતિકાને લગતો કુશળ પ્રશ્ન પૂછે છે. પાંચ હજાર અપ્સરાઓ દિવ્ય લેપ લઈને આવે છે, પાંચ હજાર અપ્સરાઓ દિવ્ય બાળોતિયાં લઈને આવે છે, પાંચ હજાર અપ્સરાઓ દિવ્ય વાજાં લઈને આવે છે અને આ જંબૂદ્વીપમાં જે બાહ્ય એવા પંચાભિજ્ઞ ઋષિઓ છે, તેઓ બધા આકાશમાર્ગ દ્વારા શુદ્ધોદન (શ્રી બુદ્ધના પિતા) પાસે આવીને વધામણું આપે છે.” પૃ. ૧૧૦ હવે તે વખતે સાઠ હજાર અપ્સરાઓ કામાવચરદેવલોકથી આવીને માયાદેવીની સેવા કરવા લાગે છે.' પૃ. ૯૫ ૪. ‘જ્યારે બુદ્ધ ભગવાન ચાલે છે ત્યારે આકાશમાં કોઈએ નહીં ધરેલું એવું દિવ્ય, ધોળું અને વિશાલ છત્ર, બે સુંદર ચામર એની પછવાડે પછવાડે એ જ્યાં જાય છે ત્યાં જાય છે. બોધિસત્ત્વ પગ ઊંચો કરે છે—ચાલવાને પગ ઉપાડે છે ત્યાં કમલોનો પ્રાદુર્ભાવ થાય છે.’ શ્રી હેમચંદ્રાચાર્યકૃત અભિધાનચિંતામણિ ભગવાન મહાવીરના જન્માભિષેકના વર્ણનનો પ્રસંગ મૂળ આચારાંગમાંથી લઈને ઘણા ચરિત્રગ્રંથોમાં વર્ણવાયેલો છે, તે જોતાં તે પ્રસંગ તે તે ચરિત્રોમાં અનેક ભિન્ન ભિન્ન રીતે ઉપલબ્ધ થાય છે. આચારાંગના ‘ભાવના’-નામક ચોવીસમા અધ્યયનમાં એટલે તૃતીય ચૂલામાં ભગવાન ૧. આ ચૂલાઓને શ્રી સ્થૂલભદ્રસ્વામીનાં બહેન સીમંધરસ્વામી પાસેથી લાવ્યાં હતાં અને તે વખતે સંઘે એને આચારાંગ સાથે જોડી દીધી. Jain Education International પરિશિષ્ટ પર્વ, સર્ગ ૯ પૃ. ૯. શ્ર્લો. ૯૬-૧૦૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy