________________
૨૦ ૦ સંગીતિ
હોય છે, સોળ સોળ હજાર અંગરક્ષકો હોય છે, સાતસો સાતસો સૈનિકો હોય છે અને બીજા પણ અનેક મહર્ષિક દેવો હોય છે. હવે નંદા, ઉત્તરા-નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા એ આઠે પૂર્વરુચકથી આવીને ત્રિશલાના સૂતિકાગૃહમાં દર્પણ ધરીને ઊભી રહે છે.” ઇત્યાદિ બધી દિક્કુમારિકાઓનો વર્ણક સમજી લેવો.
૪. “આકાશમાં ધર્મચક્ર, ચામરો, પાદપીઠ સાથેનું ઉજજવલ સિંહાસન, ત્રણ છત્રો, રત્નમય ધ્વજ અને ભગવાનના ચરણન્યાસ માટે સોનાનાં કમલો આ બધું ભગવાન વિહાર કરે છે ત્યારે થાય છે.” લલિતવિસ્તરા :
૧. “હે ભિક્ષુઓ ! બોધિસત્ત્વ કુલવિલોકન કરે છે તેનું શું કારણ ?” ‘‘બોધિસત્ત્વો હીનકુલોમાં જન્મતા નથી. જેવા કે ચંડાલકુલોમાં, વેણુકારકુલોમાં, રથકારકુલોમાં, પુક્કસકુલોમાં અર્થાત્ એવા નીચ કુલોમાં જન્મતા નથી.
‘તેઓ બે જ જાતના કુલોમાં જન્મ લે છે : બ્રાહ્મણકુલમાં કે ક્ષત્રિયકુલમાં. જ્યારે પ્રજા બ્રાહ્મણગુરુક હોય છે ત્યારે બ્રાહ્મણકુલમાં અને પ્રજા જ્યારે ક્ષત્રિયગુરુક હોય છે ત્યારે ક્ષત્રિયકુલમાં જન્મ લે છે.” પૃ. ૨૧ ૨.‘ચરમભવિક બોધિસત્ત્વ જ્યારે જન્મ લે છે, જ્યારે અનુત્તર સમ્યક્ સંબોધિને પ્રાપ્ત કરે છે, ત્યારે જે જાતના ઋદ્ધિ-પ્રાતિહાર્યો થાય છે તે આ પ્રમાણે છે :
‘‘હે ભિક્ષુઓ ! તે સમયે બધાં પ્રાણીઓ રોમાંચિત થાય છે, મોટા પૃથિવીચાલનો પ્રાદુર્ભાવ થાય છે, એટલે કે પૃથિવી કંપે છે, (સરખાવો મેરુકંપ.) કોઈએ વગર વગાડ્યે જ સાત જાતનાં દિવ્ય વાજાંઓ વાગે છે, સર્વ ઋતુ અને સમયનાં વૃક્ષો ફૂલે છે અને ફળે છે, વિશુદ્ધ આકાશથી મેઘનાદ સંભળાય છે, નિર્મળ આકાશથી ઝરમર ઝરમર મેહ વરસે છે; અનેક પ્રકારનાં દિવ્ય પુષ્પ, વસ્ર, આભરણ, ગંધ અને ચૂર્ણથી સંમિશ્રિત થયેલા મીઠા, શીતળ અને સુગંધી વાયરા વાય છે; દિશાઓ અંધકાર, ૨૪, ધૂમ અને ધૂંવાડ વિનાની અને સુપ્રસન્ન રહે છે; ઉ૫૨ આકાશથી અદૃશ્ય, ગંભીર બ્રહ્મઘોષો સંભળાય છે; બધા ચંદ્રો, સૂર્યો, ઇંદ્રો, બ્રહ્માઓ અને લોકપાલોનાં તેજ અભિભૂત થઈ જાય છે; બધી અકુશળ ક્રિયાઓ અટકી જાય છે; રોગીઓના રોગો શમી જાય છે, ભૂખ્યાઓની ભુખ ભાંગે છે, તેમ જ તરસ્યાઓની તરસ છીપે છે; દારૂડિયાનું ઘેન ઊતરી જાય છે; ગાંડાઓ સાજા થાય છે;
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International