________________
મહાવીર-જીવનનો મહિમા • ૧૭ અર્થશઃ મળતું આવતું જણાય છે, જેનો મૂળપાઠ અનુવાદ સાથે અહીં
જ સરખામણી અર્થે આપી દઉં છું. ૨૨. વેદ અને વેદાંગોનો પરિચય ૨૩. ઉપનિષદોનું ચિંતન ૨૪. મહાભારત, પુરાણો અને સ્મૃતિઓનું અવલોકન ૨૫. ગૃહ્યસૂત્ર, કલ્પસૂત્ર અને શ્રૌતસૂત્રોનો અભ્યાસ ૨૬. બ્રાહ્મણ અને આરણ્યકોનું અન્વીક્ષણ ૨૭. કુરાનનો પરિચય ૨૮. છંદ અવેસ્તાની ભાષા અને ભાવ એ બન્ને દૃષ્ટિએ અભ્યાસ ૨૯. બાઇબલનો અભ્યાસ ૩૦. ખાસ ભગવાન મહાવીર વિશે મૂળ આગમોમાં, નિર્યુક્તિઓમાં,
ભાષ્યોમાં, ચૂર્ણિઓમાં, અવચૂરિઓમાં અને ટીકાઓમાં જે જે કાંઈ
લખાયું હોય તેનું કાળક્રમવાર સંકલન ૩૧. ભગવાન મહાવીર વિશે કથાવિષયક જૈન ગ્રંથોમાં જે કાંઈ આવ્યું હોય
તેનો પરિચય ૩૨. શ્વેતાંબર અને દિગંબર અને શાખામાં સંસ્કૃત, પ્રાકૃત અને
લોકભાષામાં ભગવાન મહાવીરનાં જે જે ચરિત્ર લખાયાં છે, તે બધાંનું કાળક્રમવાર સંકલન અને તેમાં લખાણને અંગે થયેલો વધારા-ઘટાડાનો પરિચય (કથાગ્રંથોમાં ઘણી વાર એક જ કથા ભિન્ન ભિન્ન ઢબે કહેલી હોય છે અને તેનું સૂક્સેક્ષણ કરતાં એમ પણ જણાય છે કે, એક કથા ઉપર વર્ણનના ઘણા પટો ચડેલા હોય છે અને તેમાં માત્ર કવિત્વ સિવાય બીજું કારણ સંભવતું નથી. ભગવાન મહાવીરની કથા વિશે પણ ઘણા
પ્રસંગોમાં એમ બન્યું લાગે છે. ૩૩. કર્ણાટકી ભાષામાં લખાયેલા જૈન સાહિત્યનો પરિચય–તેમાં પણ શ્રી
મહાવીર વિશે જે જે વાત લખાયેલી હોય તેનો તો ખાસ પરિચય ૩૪. વિદેશી લેખકોએ ભગવાન મહાવીર વિશે જે કાંઈ લખ્યું હોય તેનો
સારો અભ્યાસ ૩૫. પ્રાચીન રાજકારણનો પરિચય તથા પ્રાચીન સમાજ-સ્થિતિનો પણ
૧. બન્નેના અનુવાદો આ ચર્ચાને છેડે વારાફરતી અને મૂળપાઠો જુદા પરિશિષ્ટમાં આપ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org