________________
૧૮ ૦ સંગીતિ
પરિચય
૩૬. ભાષાશાસ્ત્રનો પણ થોડો પરિચય
૩૭. સર્વધર્મના મૂળ પુરુષોના જીવનનો સૂક્ષ્મ અભ્યાસ
આટલી અભ્યાસ-સામગ્રી પ્રાપ્ત કર્યા પછી પૂર્વોક્ત અંતરંગ સામગ્રીયુક્ત કોઈ એક વ્યક્તિ કે મંડળ શ્રી મહાવીરના ચરિત્ર વિશે લખવાની પ્રવૃત્તિ ક૨શે તો તેમાં ઘણી સફળતા મળશે એમ ખાતરીપૂર્વક કહી શકાય. આ રીતે લખનાર શ્રી મહાવીરને, શ્રી બુદ્ધને, શ્રી કૃષ્ણને કે બીજા કોઈ મહાપુરુષને ઓછુંવત્તું લખીને અન્યાય તો નહિ જ કરે. એકલે હાથે આવું કામ થવું અશકય નહિ તો દુઃશંક તો જરૂર છે; એથી વિશ્વકોષની યોજના પ્રમાણે મહાવીરચરિત્ર-રચનાની યોજના હાથ ધરવામાં આવે અને તે તે વિષયના અભ્યાસકોને ઉચિત કામ સોંપવામાં આવે તો એક આદર્શ મહાવીરચરિત્ર લખી શકાય અને એ મુખ્ય કામ કરતાં જૈન ધર્મને લગતા અનેક જાતનાં ગૂઢ પ્રશ્નો અને રહસ્યોનો નિકાલ પણ થઈ જાય તેમ જ જૈન ધર્મનો ઇતિહાસ ઘણો સ્પષ્ટ થઈ જાય.
ખરી રીતે તો ‘મહાવીરચરિત્ર-સાધન-સંગ્રહાવલિ' નામ રાખીને એક લેખમાળા જ કાઢવી જોઈએ અને તેમાં પૂર્વોક્ત સામગ્રીસંપન્ન મંડળ મહાવીર-ચરિત્ર લખવાની દૃષ્ટિએ તે તે જાતના નિબંધો લખે. એ બધા નિબંધોનું મંથન કરતાં જે નવનીત નીકળે તે મહાવીરજીવનની સંકલનામાં અસાધારણ ઉપયોગી થાય.
વિશ્વહિતૈષી ભગવાન મહાવીરનું જીવન લખવાને સમગ્ર વિશ્વનું ઉપયોગી સાહિત્ય વિશ્વવ્યાપક દૃષ્ટિએ જ જોવું જોઈએ; અન્યથા એ લોકનાથની આશાતના થવાનો સંભવ છે. ભગવાન મહાવીરના ત્યાગધર્મને આચરનારો અને સર્વભૂતહિતે રત મુનિગણ આ બાબત વિશે વિચાર કરે તો એ વિશે ઘણું થવાનો સંભવ છે. ભગવાન મહાવીરનું મંદિર અને તેમનું આ પ્રકારનું જીવનલેખન એ બે પ્રવૃત્તિમાં કઈ અધિક મૂલ્યવાન છે તે તો કેવળી જ કહી શકે. તેમ છતાં કોઈ પણ અંશે આ કામની કિંમત ઓછી નથી જ. આ તો સ્વ અને પરના હિતનું કામ છે માટે મુનિગણને વિનંતી કરું છું કે જરૂર તેઓ આ કામ માટે કટિબદ્ધ થઈને પ્રસ્થાન કરે.
મારી અલ્પમતિ પ્રમાણે ભગવાન મહાવીરના જીવન વિશે જે જે વિચારો મેં કરી રાખેલા તે આજે પ્રગટ કરું છું. હજુ પણ બીજા ઘણા વિચારો રહી જાય છે, જેની પૂર્તિ કરવાનું અન્ય વિદ્વાનોને પ્રાર્થી વિરમું છું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org