________________
૧૬ • સંગીતિ
૯. છેદસૂત્રો ઉપરથી નીકળતા સમાજ-બંધારણનો અભ્યાસ ૧૦. કર્મશાસ્ત્ર અને માનસશાસ્ત્રનો તુલનાત્મક પરિચય ૧૧. જૈન ધર્મના ખાસ ખાસ આચાર્યોના જીવનનો પરિચય ૧૨. જૈન ધર્મ(ધર્મ એટલે સંપ્રદાય)માં ક્રાંતિ કરનારા આચાર્યોના જીવનનો
પરિચય ૧૩. જૈન ધર્મની બન્ને શાખાનાં ખગોળ અને ભૂગોળનો પૃથક્કરણ-પૂર્વક
અભ્યાસ જૈનેતર (વૈદિક હિન્દુ) તથા મુસલમાન અને ખ્રિસ્તી આદિ ધર્મોની દષ્ટિએ ભૂગોળ અને ખગોળનો પરિચય પૌરાણિક દૃષ્ટિએ ભૂગોળ અને ખગોળનો અભ્યાસ વર્તમાન સમયની નવી અને જૂની દૃષ્ટિએ પણ ભૂગોળ અને ખગોળનું
અવલોકન ૧૪. મગધ દેશનો પર્યટનપૂર્વક પરિચય ૧૫. શ્રી મહાવીરે પોતાના વિહારથી પવિત્ર કરેલાં પ્રત્યેક સ્થળનો
સૂક્ષ્મણપૂર્વક પરિચય ૧૬. જૈન ધર્મની બન્ને શાખાના અને ઇતરધર્મની સર્વ શાખાના સ્વર્ગ અને
નરક સંબંધી પ્રત્યેક ઉલ્લેખોનો ઊંડો અભ્યાસ ૧૭. વર્તમાન સમયની નવી અને જૂની રીતે સ્વર્ગ અને નરકનો અભ્યાસ ૧૮. સ્વર્ગ અને નરકની ભૂગોળ બતાવનારાં બંગાળી, હિંદી અને મરાઠી
પુસ્તકોનો અભ્યાસ ૧૯. ઇંદ્રાદિક શબ્દોની સમજૂતી માટે પ્રાચીન વ્યુત્પત્તિશાસ્ત્ર-નિરુક્તાદિનો
ઊંડો અભ્યાસ ૨૦. સર્વ દર્શનના મૂળ મૂળ પ્રાચીન ગ્રંથોનો ઉપયોગ પૂરતો) અભ્યાસ ૨૧. બૌદ્ધોના પાલીગ્રંથોનો (ત્રિપિટકોનો) અને મહાયાન સંપ્રદાયના સંસ્કૃત
ગ્રંથોનો પરિચય બૌદ્ધગ્રંથોમાં અનેક સ્થળે ભગવાન મહાવીર નાતપુત્ત) અને તેના શિષ્યો વિશે કહેવામાં આવ્યું છે. મહાવીર-જીવનનો કોઈ પણ લેખક એ હકીકતોને સમજ્યા સિવાય ભગવાનના જીવનને બરોબર ન જ ઓળખી શકે. નમૂના તરીકે શ્રી બુદ્ધના જન્માદિ પ્રસંગને અંગે બૌદ્ધગ્રંથ લલિતવિસ્તરામાં જે હકીક્ત વર્ણવવામાં આવી છે તે હકીકત સાથે શ્રી મહાવીરના જન્માદિપ્રસંગનું વર્ણન ઘણે અંશે શબ્દશ: અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org