SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર-જીવનનો મહિમા • ૧૫ એમ તો નથી જ; પણ મારા જેવા કાર્યાતરવ્યગ્ર (એક કાર્ય સાથે બીજું કાર્ય કરવાને કંટાળનાર)ને માટે તો તે કઠણ જ લેખાય. તે પણ એટલા માટે કે એ કામ ઘણા સમયની અપેક્ષા રાખે છે; એ એક જ કારણને લીધે તે કામને હું કઠણ ગણું છું. એ સિવાયની જીવન વિશેની બીજી કેટલીક સામગ્રી મારે માટે દુષ્માપ્ય જેવી તો નથી જ. એ વિશે હું તો લખું ત્યારે લખું, પણ એ જીવનચરિત્ર લખવા માટે મારા મનમાં જે જે રેખાઓ અંકાઈ છે તે અહીં દર્શાવી દઉં કે જેથી શ્રી મહાવીરજીવનના બીજા લેખકોને મારી એ રેખાઓ કદાચ ઉપયોગી થાય. અંતરંગ સામગ્રી ૧. ભગવાન મહાવીર પ્રત્યે અકૃત્રિમ (સ્વાભાવિક) ભક્તિ હોવી જોઈએ. ૨. શ્રદ્ધા, પ્રજ્ઞા (બુદ્ધિ), સમતા (સમભાવ), સ્મૃતિ એ બધું લેખકની વૃત્તિમાં સમતોલપણે હોવું જોઈએ. શરીરમાં વાત, પિત્ત, કફ સમાન હોય ત્યાં સુધી શરીરની સ્વસ્થતા સચવાઈ રહે છે અને જયારે એ ત્રણેમાં એક પણ વધે કે ઘટે ત્યારે શરીર રોગી બને છે. તે જ પ્રકારે ઉપર્યુક્ત શ્રદ્ધા વગેરે માનસિક ગુણો સમતોલપણે હોય તો જ લેખકથી કોઈ પણ વિચારને બરાબર ન્યાય આપી શકાય અને એ ગુણોમાંનો એકાદ પણ પ્રમાણમાં વધ્યો કે ઘટ્યો હોય તો ભલભલા લેખકો પણ કોઈ વિચારને ન્યાય આપવાને બદલે પોતાને જ ન્યાય આપતા જણાય છે. ૩. લેખકમાં ત્યાગધર્મ પ્રત્યે વિશ્વાસ અને તેનામાં એનું વધારે નહિ તો ઓછામાં ઓછું વરસ યા છ માસ સુધીનું પરિશીલન અને એ પણ અવંચકપણે (આત્માને છેતર્યા વિના) બહિરંગ યા અભ્યાસની સામગ્રી ૪. જૈન ધર્મનો સાંપ્રદાયિક અને ઐતિહાસિક એ બન્ને દૃષ્ટિએ અભ્યાસ ૫. અહિંસાદષ્ટિનો અભ્યાસ ૬. અનેકાંતવાદના મર્મનો સ્પષ્ટ પરિચય ૭. જૈન ધર્મની જૂની કે નવી, નાની કે મોટી, વર્તમાન વા વિચ્છિન્ન દરેક શાખાનો પૂરો પરિચય ૮. મૂળ આગમ, નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અવચૂર્ણિ, ટીકા અને ટબ્બા સુધીના ગ્રંથોનો અભ્યાસપૂર્વક પરિચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy