________________
૨૬૮ • સંગીતિ
નુકસાન થશે અને પ્રવાસમાં પણ ભારે હાડમારી રહેશે. એક સાથે હજાર ગાડીઓ ચાલે એવો પૂરતો સારો રસ્તો હોવાનો સંભવ નથી; ને વળી સાથે આવનારા હજારથી વધુ સાથીદારો, ગાડીવાળા તથા બે હજારથી પણ વધુ પશુઓ, બળદ, ગાય વગેરે માટે રસ્તે પૂરતું બળતણ, ખોરાક, ઘાસચારો, પીવાનું ચોખ્ખું અને મીઠું પાણી પણ મળવું મુશ્કેલ છે. વળી, માલ વેચવામાં જો એ પેલો છોકરો હરીફાઈ કરવા લાગે તો પૂરી કિંમત પણ હાથમાં ન આવે; એટલે નફો લેવા જતાં ખોટ ખાઈને જ પાછું આવવું પડે. એથી કાં તો એ પહેલો જાય અને કાં તો હું પહેલો જાઉં; પણ બંને સાથે તો હરગિજ નહિ ચાલીએ.'
આવું વિચારી પાકો નિર્ણય કરી તેમણે પેલા બીજા વણજારાને બોલાવ્યો અને પૂછ્યું : “ભાઈ, શું તમે પહેલાં જવાના છો કે હું પહેલો જાઉં ? આપણે બંનેએ એક સાથે ચાલવું ઠીક નહિ. માટે બોલો, તમે જે નક્કી કરો તે મારે કબૂલ છે.”
પેલા છોકરાને વિચાર આવ્યો : હું પહેલો જાઉં તો મને વિશેષ ફાયદો થશે. વણખેડાયેલા ને સારે રસ્તે મુસાફરી કરવાનું મળશે, બળદોને તાજું ઘાસ મળશે, મારા માણસોને ખાવા માટે સારો ભાજીપાલો, શાક, ફળો વગેરે પણ મળશે, ચોખ્ખું પાણી મળશે; અને સૌથી મોટો તો લાભ એ છે કે હું મારો સામાન વેચીને મનમાન્યો નફો પણ મેળવી શકીશ.'
મનમાં આવી બધી ગડીઓ બેસાડી પેલા વણજારાએ બોધિસત્ત્વને જણાવ્યું : “હે આર્ય ! આપણે બંને સાથે ચાલત તો તો ઠીક થાત. કહેવત છે કે એક કરતાં બે ભલા. મને પણ તમારો સંગાથ થવાથી ઘણું જાણવાનું મળત. પણ આપણે બંને સાથે જઈએ એ તમને જ્યારે પસંદ નથી પડતું ત્યારે હું જ પહેલાં જાઉં એવો મારો વિચાર છે.” તેનો આ વિચાર સાંભળી બોધિસત્વે તેને પહેલા જવાની સંમતિ આપી અને પાછળ જવાથી શા શા લાભ છે તે વિશે પણ વિચારી જોયું, તો તેમને ચોખ્ખું જણાયું કે પાછળ જવાથી ઘણાઘણા ફાયદા છે : “પહેલું તો એ કે રસ્તામાં જ્યાં ખાડાખડિયા હશે તે બધું આ પહેલો જનાર સરખું કરી નાખશે એટલે મને સરખા રસ્તાનો લાભ મળશે. બીજું, આગળ જનારના બળદો ઘરડું કડક ઘાસ ખાઈ જશે એટલે મારા બળદોને તાજું અને કૂણું ઘાસ ખાવા મળશે. આગળ જનારના માણસો ભાજીપાલો વગેરે તોડી લેશે અને તેની જગ્યાએ જે કૂણો તાજો ભાજીપાલો તથા ફળો વગેરે થશે તે મારા માણસોને ખાવા મળશે. પાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org