________________
બુદ્ધિમાનું વણજારો • ૨૬૯ માટે આગળ જનારા લોકો વિરડા કૂવા ગાળી રાખશે એટલે પાછળ જનારને પાણી માટે કશી માથાકૂટ નહિ કરવી પડે. ખાસ વાત તો એ છે કે આ માલસામાન અને કરિયાણાની કિંમત નક્કી કરવી એ ભારે માથાફોડનું કામ છે. ખરી રીતે સોદાની કિંમત નક્કી કરવી એ માણસના જીવ પર જવા જેવું કપરું કામ છે; તે કામ આ વણજારો કરી નાખશે, એથી મારે મારો સામાન વેચવામાં વધુ માથાફોડ કરવી નહિ પડે.” આ બધો વિચાર કરીને બોધિસત્વે પાછળ જવાનો પાકો નિર્ણય કરી કાઢ્યો.
હવે પેલો વણજારો ગાડીઓ જોડાવી ગામમાંથી બહાર નીકળ્યો. આમ તો તે વારંવાર પ્રવાસ કરતો હોવાથી તેને ચોરકાંતાર, વ્યાકાંતાર, નિર્જલકાંતાર, ભૂતકાં તાર અને અલ્પભક્ષ્યકાંતાર–આ પાંચેય કતારો(જંગલો)ની ખબર હતી. થોડે દૂર જઈ પોતાનો પહેલો પડાવ નાખ્યા પછી રાતે પોતાના તમામ સાથીદારોને બોલાવીને પેલાં પાંચે કાંતારની તેણે સમજ પાડી. (૧) જયાં ચોર-લૂંટારા, ધાડપાડુ અને ખૂની લોકો રસ્ત જનારાંઓને લૂંટી લઈ મારી નાંખે તે ચોરકાંતાર. (૨) જ્યાં ક્રૂર વાઘ, સિંહ, ચિત્તા, દીપડા, વરુ વગેરે જાનવરો રહેતાં હોય અને રસ્તે જનારાંઓને ફાડી ખાતાં હોય તે વ્યાલકાંતાર (૩) જયાં મારગમાં નાહવાધોવાનું કે પીવાનું ચોખ્ખું મીઠું પાણી પણ ન મળે તે નિર્જલકતાર. (૪) જયાં મારગમાં ભૂતો, પિશાચો, વ્યંતરો, રાક્ષસો, દૈત્યો વગેરે રહેતા હોય અને રસ્તે જનારાઓને વળગી હેરાન કરતા હોય તે ભૂતકાંતાર, ભૂતકાંતારનું બીજું નામ અમનુષ્યકાંતાર પણ છે. જયાં મારગમાં કોઈ મનુષ્ય જ ન મળે તે આ અમનુષ્યકાંતાર. (૫) જ્યાં મારગમાં ખાવા લાયક નીરણ કે પાકાં ફળો, કંદમૂળો વગેરે ન મળતાં હોય વા ઘણાં ઓછાં મળતાં હોય તે અલ્પભક્ષ્યકાંતાર.
આમ સમજ પાડી તથા રસ્તામાં આવતી તકલીફોની માહિતી આપી તે વણજારો હવે ઝપાટાબંધ પ્રયાણ કરવા લાગ્યો અને ભારે ઉત્સાહથી આગળ ને આગળ વધવા લાગ્યો.
એ રીતે અનુક્રમે ચાલતાચાલતાં હવે રસ્તામાં આવતી તમામ વસતી(ગામડાં) પૂરી થઈ ગઈ અને એક મોટા નિર્જનકાંતાર પાસે આવી પહોંચ્યો. આ રણ સાઠ ગાઉ લાંબું પથરાયેલું હતું. ત્યાં રસ્તામાં ઝાડનું નામ નહીં, એટલે છાંયો તો કયાંથી હોય? રેતી જ રેતી ! એટલી બધી સુંવાળી રેતી કે પગે ચાલનારનો પગ જ ખંતી જાય અને ગાડાં ચાલવાની તો ભારે મુસીબત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org