________________
ધર્માચરણની ભૂમિકા • ૨૬૩ પોતાને હાનિકર્તા નીવડે છે અને બીજા જોનારાઓને પણ ઘણી વાર અનીતિના ખાડામાં ઉતારી પાડે છે. એટલે સાદાઈથી રહેવા તે વિશેષ સાવધાન રહે છે.
વળી તે સ્વતંત્ર વિચારક હોવો જોઈએ. કોઈનું અનુકરણ કરીને અંધ અંધને અનુસરે એમ વિના સમયે કે વિચાર્યું કોઈ અંધાનુકરણી ન હોવો જોઈએ. એટલે તે પોતાના ધ્યેયને અંગે નિરંતર કાંઈ નવું નવું સાંભળવાની વા જાણવાની વૃત્તિવાળો હોવો જોઈએ. જે સાંભળેલું હોય તેને બરાબર ગ્રહણ કરનારો પણ તે હોવો જોઈએ અને ગ્રહણ કરેલા વિચારને બરાબર સ્મૃતિમાં સંઘરવારો અને તેની ઉચિતતા અંગે તર્કવિતર્ક કરનારો પણ એ આત્માર્થી હોવો જોઈએ. જો તે આવો જાગ્રત ન હોય તો જરૂર ધર્મને નામે ચાલતા વહેમોમાં ફસાઈ પડવાનો અને ધર્મથી તદ્દન અવળે માર્ગે જ દોરાઈ જવાનો. ઘણા લોકો નહાવામાં ધર્મ માને છે તથા ઘણા એવા પણ લોકો છે કે જેઓ દેવદેવીઓ પાસે જીવતાં પશુઓને કાપવામાં અથવા આગમાં હોમી દેવામાંય ધર્મ સમજે છે. એ માણસના અવિચારનું જ પરિણામ છે. આવા વિચાર-સ્વાતંત્ર્ય સાથે તેણે નિયમિત ધર્મશાસ્ત્રનું શ્રવણ પણ કરતાં રહેવું જોઈએ.
ધર્મનો અધિકાર મેળવવા મથતો મનુષ્ય આવો હોવા સાથે મિતાહારી, નિયમિત એટલે વખતસર ભોજનપાન કરનારો અને અજીર્ણ થતાં જ ભોજનનો ત્યાગ કરનારો હોવો જોઈએ. આવો ન હોય તો તે નિરંતર માંદો જ રહેવાનો; તે તેનો વ્યવહાર કથળે જ. અને વ્યવહાર કથળતાં નીતિનું ધોરણ નાશ પામે અને છેવટે એવો માણસ, એક પગથિયું ચૂકેલો જેમ છેક નીચે આવીને પડે છે, તેમ નીચી સપાટીએ પહોંચી જાય છે.
ઉપર કહ્યો તેવો મિતાહારી, પાપભીરુ અને સદાચારોની પ્રશંસામાં તત્પર રહેનારો આત્માર્થી ગૃહસ્થ વેવલો વૈરાગી હોય તે તેના હિતમાં નથી, તેમ પૈસા પાછળ જ આંધળો થઈને પડનારો હોય તો તેનો આત્માર્થ જ ક્યાં રહ્યો ? અને વિશેષ ભોગો-ઉપભોગો તરફ તેનું વલણ હોય તો પણ આત્માર્થ ન ટકે. આ અંગે યોગશાસ્ત્રકાર કહે છે કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેમાં પરસ્પર અવિરોધ રહે એ રીતે તેમને સાધનારો હોય. સામાજિક નિષ્ઠા, કુટુંબનિષ્ઠા, સ્વાસ્થનિષ્ઠા, ન્યાયનિષ્ઠા તથા વિદ્યાનિષ્ઠા વગેરેને હાનિ નહિ પહોંચાડીને અર્થનું ઉત્પાદન કરવું તેનું નામ ધર્મ. તે ધર્મને અબાધિત રાખીને કરાતી અર્થપ્રાપ્તિ ન્યાયમાર્ગે કરી કહેવાય. ન્યાયમાર્ગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org