________________
૨૬૨ • સંગીતિ
અન્યાયી રીતે ધનાર્જન કરીને ધર્માધિકાર મેળવવા જનારમાં ઘણી વાર બેદરકારી, બિનજવાબદારી, સ્વછંદ, આળસ, હરામીપણું અને સામાજિક દષ્ટિએ પોતાના કર્તવ્ય અંગે બેભાનપણું તથા જેઓ તરફ પોતાની દઢ મમતા છે એવાં સ્વજનો પ્રત્યે બિનવફાદારી વગેરે દુર્ગુણો પેદા થવાનું જોખમ રહેલું છે. માટે જ આત્માર્થીને માટે પોતાના અને કુટુંબના ન્યાયપૂર્વકના પોષણ વિશે ભાર મૂકવામાં આવેલ છે.
આ રીતે ધનાર્જન કરનારે પોતાની આવક અને જાવક અંગે બરાબર સાવધાન રહેવું જોઈએ અને એવી જાગૃતિ સતત રાખવી જોઈએ કે જાવક હંમેશાં આવકથી ઓછી જ રહે અને કદી પણ વધવા તો ન જ પામે..
યોગશાસ્ત્રકારો આ અંગે વિશેષ સ્પષ્ટતા કરતાં જણાવે છે, કે આત્માર્થી મનુષ્યનાં અડોશી-પડોશી ઉત્તમ પ્રકારનાં હોવાં જોઈએ અને તેણે એવા ઘરમાં રહેવાનો વિશેષ આગ્રહ રાખવો જોઈએ કે જ્યાં અડોશી-પડોશી ઓછાં ખર્ચાળ અર્થાત્ ઉડાઉ નહિ તેમ કંજૂસ પણ નહિ, પરસ્પર સહાનુભૂતિવાળાં, ગુણગ્રાહક અને ખાસ કરીને આપત્તિમાં સહાયતા કરનાર હોય. આવા પડોશમાં વસનારો આત્મશોધક મનુષ્ય મિતવ્યયી હોવો જોઈએ. જો તે મિતવ્યથી ન હોય અથવા તેવો ન રહી શકતો હોય, તો તેને ધર્મનો અધિકાર મળવાનો મુદ્દલ સંભવ નથી.
આવકનો વિચાર લક્ષ્યથી દૂર કરી જાવકને જ વધારનાર મનુષ્ય કદી આત્માર્થી તો ઠીક પણ સામાન્ય માનવ જે રીતે વર્તતો હોય છે તે રીતે વર્તી શકતો નથી અને ધર્મનો અધિકારી બની શકતો નથી.
આવો જાવક અને આવકનાં સરખાં પલ્લાં રાખનારો વા જાવકને ઓછી રાખનારો અર્થાત્ સાદી રીતે રહેનારો મનુષ્ય પોતે એવો જ પહેરવેશ પહેરશે જે તેની આવકના પ્રમાણમાં બિલકુલ સાદો હોય. કોઈ બીજાઓ ઉપર રોફ મારવા કે પ્રભાવ પાડવા પોષાક કરતાં આચરણ જ વિશેષ ઉપયોગી હોય છે, એમ સમજીને તે આત્માર્થી ગૃહસ્થ કદી પણ ઉછાંછળો વા પરદેશના કેવળ અનુકરણથી પ્રચાર પામેલો વેશ-પહેરવેશ કદી પણ નહિ પહેરે; એટલું જ નહિ, પણ શરીરની કોઈ પણ ટાપટીપ એ બીજાઓને પોતા તરફ ખેંચવા વા વ્યામોહમાં પાડવા કદી નહિ જ કરે; એટલું જ નહિ, પણ તેનું વિશેષ ધ્યાન શરીરના અને મનના આરોગ્યને ટકાવવા તરફ રહેશે, અને પોતાની વેશભૂષા વા કેશકલાપ વા નખ વગેરેનું સૌંદર્ય તે, આરોગ્યને ધ્યાનમાં રાખીને જ કરશે. તે એમ સમજી જ લેવાનો કે ઉછાંછળો વેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org