SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માચરણની ભૂમિકા • ૨૫૯ બોલનારા નહિ, તેમ બહારની ટાપટીપથી સંસારને આંજી દેનાર વા કેવળ સંસ્કૃત ભાષા બોલનાર પંડિતો જ નહિ, તેમ માગધી વા પાલિ ભાષાના પંડિતો વા વેદો, ઉપનિષદો વા બીજાં ધર્મપુસ્તકોના પોપટિયા પાઠી નહિ; પરંતુ સંસારના વૃત્તને જેઓ બરાબર તટસ્થપણે સમજનારા છે, વિદ્યાવંત છે અને મેળવેલી વિદ્યાને, જ્ઞાનને આચરણમાં લાવનારા છે, અનુભવે કરીને ઘડાયેલા છે, અને સેવાઓ દ્વારા જેમણે વિશુદ્ધ શિક્ષણ મેળવેલું છે, તેવાઓને યોગશાસ્ત્રકારો શિષ્ટ કહે છે. એ શિષ્ટોને ઓળખવાનાં નિશાન આ છે : (૧) લોકોમાં પોતાનો અપવાદ થાય તેવું કાંઈ પણ નાનું-મોટું સ્વાર્થસાધક કામ નથી કરતા. (૨) દીન, અનાથ અને રોગીઓને સહાયતા કરવામાં આદરઉત્સાહ બતાવે છે. (૩) કોઈએ પોતા ઉપર કરેલ નાના-સરખા ઉપકારને પણ કદી ન ભૂલનારા, હઠાગ્રહ ન કરનારા અને બીજાને અનર્થકારી એવી પોતાની હઠને તજી દેનારા હોય છે. આવી ભાવના અને કર્તવ્યબુદ્ધિ વા કર્તવ્યનિષ્ઠા જેમનામાં હોય તેમને શિષ્ટ પુરુષો સમજવાના છે. આત્માર્થી આત્મશોધક માનવ આવા પ્રકારના શિષ્ટોના આચારો તરફ પોતાનું વલણ થાય તે અર્થે તેમના આચારોની વારંવાર પ્રશંસા કરવા સાથે તેમના સમાગમમાં નિરંતર રહે તો જ તે ન્યાયમાર્ગના આલંબનને નિરંતર ટકાવી શકે અને ન્યાયપ્રિય બનીને ચુસ્તપણે ન્યાયપુર સર વ્યવહાર કરનારો બની શકે. આત્માર્થી પાપોથી ડરનારો હોવો જોઈએ. જે પાપભીરુ હોય તેને જ ઉપર જણાવેલા શિષ્ટ પુરુષોનો સમાગમ અસરકારક નીવડે છે. જેઓ પાપભીરુ નથી હોતા તેમને સાક્ષાત્ ઈશ્વર પણ ન્યાયના માર્ગે વાળી શકતો નથી. માટે આત્માર્થી વ્યક્તિ શિષ્ટોનો સમાગમ તો જરૂર નિરંતર રાખે; ઉપરાંત એવો સમાગમ સફળ કરવો હોય વા એવા સમાગમની અસર પોતાના ઉપર થવા દેવી હોય તો આત્માર્થી મનુષ્ય પાપભીરુ બનવું જ જોઈએ, એટલે કે પાપવૃત્તિઓથી અને તેવી વૃત્તિઓથી થતાં કાર્યોથી દૂર હઠતા રહેવામાં જ બહાદુરી બતાવવી જોઈએ. પાપભીરુ રહેવાનું એકલું નહિ ચાલી શકે, પરંતુ તે સાથે આત્માર્થી જે દેશમાં વસતો હોય તે દેશની ભાષા, તે દેશની રહેણીકરણી, તે દેશનો પહેરવેશ અને પોતાના દેશમાં પ્રચલિત એવા સદાચારને બાધ ન આવે એવો તમામ દેશાચાર તેણે બરાબર પાળવો જોઈએ. ભારતવર્ષમાં રહીને કોઈ પણ કારણ વિના માત્ર આંધળિયા અનુકરણ દ્વારા પરદેશી ભાષા, પરદેશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy