________________
ધર્માચરણની ભૂમિકા • ૨૫૭ ધનનો પણ ઠીકઠીક ખર્ચ કરે છે. આમ છતાં એવા લોકો વર્તમાન જીવનમાં આત્માને અંગે કશો વિકાસ ભાગ્યે જ સાધી શકતા હોય છે. અરે ! કેટલાક આવા લોકો તો ભોગવિલાસ અને ખટપટમાં પડી જાય છે. આનું કારણ બીજું કશું જ નથી, પણ પોતે જે પ્રવૃત્તિ પોતાના આત્માના સંશોધન માટે–આત્મા ઉપર બાઝેલા મલિનતાના થરોને દૂર કરવા માટે આદરે છે, તે માટે તેઓ પોતે યોગ્ય છે કે કેમ તેનો પણ ભાગ્યે જ વિચાર કરતા હોય છે. તેઓ તો આંધળિયાં કરીને એ પ્રવૃત્તિમાં ઝુકાવે છે અને પરિણામે થાકીને નાસ્તિક જેવા બની જાય છે. છેવટે સાધારણ નીતિનો માર્ગ પણ તેઓ છોડી દેતાં અચકાતા નથી. આ રીતે એવા લોકો ધર્મને નામે ધાડ ઊભી કરે છે.
આત્માનું સંશોધન કરવા જે મનુષ્ય તત્પર બને છે, તે પોતે આત્મા છે, પણ દેહ નથી, અને દેહ તો આત્માનું એક સાધન છે, જેમ સુતારનું સાધન રંધો છે તેમ એવું ધ્યાન ધરે છે. દેહ ઉપરાંત આંખ, નાક, કાન, જીભ, ચામડી અને અંતઃકરણ એટલે ચિત્ત સુધ્ધાં આત્મા નથી, એ પણ બધાં આત્માનાં સાધનો છે. જેમ કોઈ કારીગર પોતાની પાસેનાં શુદ્ધ સાધનો દ્વારા નકામા લાગતા ખડબચડા પથ્થરમાંથી એક સુંદર મૂર્તિ ઘડી શકે છે, તેમ આત્મા પોતાનાં વિશુદ્ધ બનાવેલાં દેહ, ઇંદ્રિયો અને મનરૂપી સાધનો દ્વારા આત્માને નિર્મળ અને નિર્દોષ બનાવી શકે છે. આ માટે કઈ કઈ જાતની યોગ્યતા મેળવવાની હોઈ શકે તેના ઉત્તરમાં એ અંગે જાત અનુભવ કરનાર વિવેકી અને સંત પુરુષોએ નીચે મુજબ કેટલીક સૂચનાઓ કરી છે :
પ્રથમ તો પોતે આત્મા છે પણ દેહ નથી, તેમ ઇંદ્રિયો નથી, તેમ મન પણ નથી; દેહ, ઇંદ્રિયો અને મન એ આત્મારૂપ પોતાનાં સાધનો છે એવું દૃઢ વિશ્વાસયુક્ત વલણ જોઈએ; આ મક્કમ વલણ વિના કોઈ પણ નાની કે મોટી સાધના આત્માનો વિકાસ સાધવામાં કશો ફાળો આપી શકતી નથી, એ નક્કી સમજવાનું છે.
જયારે ઇંદ્રિયાદિક પોતાનાં સાધનો છે, ત્યારે સાધનો કરતાં સાધક એવા આત્માનું સામર્થ્ય વધારે જ હોવું જોઈએ—એ ન્યાયે આત્મા ઇંદ્રિયાદિ કરતાં વિશેષ બલિષ્ઠ છે એવો દઢ સંકલ્પ, એવી ભાવના નિરંતર કર્યા જ કરવી. એથી આત્માનું કહેલું ઇંદ્રિયાદિ તથા મન માનશે, પરંતુ ઇંદ્રિયાદિક અને મનનું કહેણ આત્મા નહિ સ્વીકારે–એવું પ્રભુત્વ આત્મામાં જન્મવા પામશે. આ માટે તદન પ્રાથમિક ભૂમિકા આ રીતે કેળવવી જોઈએ.
કોઈ પણ આત્માર્થીએ પોતાની તમામ વ્યવહાર ન્યાયને રસ્તે સાધવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org