________________
જિજીવિષા ૦ ૨૩૩
પાણી વગેરે કોઈને સાંભરતું નહોતું. કેમ કરીને રહેઠાણ સુધી પહોંચાય તોય ગનીમત. પ્રેમચંદ શેઠ ભારે સુંવાળા. તેમને આવો અનુભવ તો ક્યાંથી હોય? પણ દુઃખ સહન કરવાની ટેવ તો ખરી. મારી તો નાનપણથી ગરીબી અને શ્રી જિનવિજયજી તો સાધુબાવા થયેલા અને પછી મુનિ થયેલા એટલે એમને પણ કષ્ટ સહેવાની ટેવ ખરી. વળી પોતે જાતે ક્ષત્રિય એટલે શૌર્ય પણ ખરું. માત્ર એક શેઠ સુકોમળ; પણ અહીં શું થાય? બધા જ ચૂપચાપ, કશું જ બોલ્યા વિના રસ્તો કાપતા હતા.
આમ ચાલતાં ચાલતાં રાતના બે વાગ્યા. શેઠ પાસે ઘડિયાળ હતી, એટલે સમયની ખબર પડેલી. નીચાણમાં પર્વતની ઝાડીમાં કયાંક પહોંચેલા. પણ સ્થળ ન સૂઝે. ચંદ્રનો સરસ પ્રકાશ એટલે બધું દેખાય ખરું એટલી પરમેશ્વરની મહેરબાની.
પછી તો અમે દરખાસ્ત મૂકી, કે “હવે અહીં જ ધામા નાખો. આસપાસથી લાકડાં વીણી લાવો અને ભડકો કરો, એટલે નિરાંતે બેસાય અને ભડકાને લીધે કોઈ જંગલી જનાવર પાસે ન આવે.”
સૌ જાગતા રહેવાના હતા; ઊંઘ આવવાનો સંભવ જ ન હતો. પણ ચેલો કહેઃ “આપણે અહીં નથી રહેવું. આગળ ને આગળ ચાલો, એટલે રહેઠાણ આવી જશે.”
એને કાંઈ ખબર ન હતી, પણ તે એમ ને એમ જ ગપ મારતો હતો. તે પણ બિચારો દુઃખી તો થયો, પણ તેને તો પહાડમાં આથડવાની ટેવ એટલે હરકત નહીં. વળી તે તો ઘરબાર છોડીને ચેલો થયેલ એટલે તેને આગળ ઉલાળ નહીં અને પાછળ ધરાળ નહીં; તેમ પાછળ કોઈ રોનાર પણ નહીં. પણ અમારી સૌની દશા એનાથી તદ્દન જુદી હતી. માથે કુટુંબની જવાબદારી, સંશોધનના કામની જવાબદારી.
શેઠની માથે પણ પોતાના બહોળા કુટુંબની, વેપારવ્યવહારની અને પોતાની બે પત્નીઓની પણ જવાબદારી. આમ છતાં કોઈ અકળાતું નહોતું. પણ હવે આગળ ચાલવાની હિંમત ઓછી થઈ ગયેલી. બપોરના ત્રણસાડાત્રણ વાગ્યેથી ચાલવા માંડેલું તે અત્યારે રાતના બે વાગ્યાથી પણ વધારે રાત ભાંગેલી, એટલે આ ગલીમાં જ રાત પૂરી કરવાની વાત કરી. પણ તે ચેલાના માન્યામાં ન આવી. પછી તો સુવાણે-કસુવાણે ચાલવું જ રહ્યું. એટલે અમે બધાં તો માત્ર એક જિજીવિષાને જોરે જ આગળ વધવા લાગ્યા. એવામાં ઉપરથી કોઈ સાધુએ અમારા પડછાયા જોયા. એ સાધુ રાતે ક્યાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org