________________
મહાભારત અને જૈન આગમ • ૧૦૧ શરૂઆત “Tધષ્ઠિર ઉવાવ' અર્થાત્ “યુધિષ્ઠિર બોલ્યા” એમ કરીને થાય છે.
“તમામ પ્રાણીઓના ક્ષયને કરનારો આ કાળ ચાલ્યો જાય છે. તો તે પિતામહ! તમે મને કહો કે અમે શ્રેયસ તરીકે શું સ્વીકારીએ?” ૧
પછી ભીષ્મપિતામહ બોલ્યા :
“આ સ્થળે પણ હે રાજા યુધિષ્ઠિર ! પિતાપુત્ર વચ્ચે એક સંવાદ પુરાતન ઇતિહાસરૂપ થયેલ છે, તેને જ ઉદાહરણરૂપે કહેવામાં આવે છે, તે તું જાણ અર્થાત્ તારા પ્રશ્નનો જવાબ એ સંવાદમાંથી જડી જશે. ૨
“હે પૃથાના-કુંતીના પુત્ર રાજા યુધિષ્ઠિર ! સ્વાધ્યાય પરાયણ કોઈ બ્રાહ્મણનો મેધાવી નામે બુદ્ધિશાળી પુત્ર જન્મ્યો હતો. ૩
“મોક્ષ અને ધર્મની સમજમાં કુશળ તથા સમગ્ર લોકતત્ત્વ જાણનારા તે મેધાવીએ સ્વાધ્યાય કરવામાં તત્પર એવા તે પોતાના પિતાને કહ્યું : ૪
“હે પિતાજી ! માનવોનું આયુષ્ય ઝપાટાબંધ ચાલ્યું જાય છે, તો સમજદાર ધીરપુરુષે પોતાના શ્રેય માટે શું કરવું ઘટે? પિતાજી ! તમે મને અનુક્રમે યથાર્થ હકીકત કહો, જેથી હું ધર્મનું આચરણ કરવા માંડે. ૫
પિતા બોલ્યા :
હે પુત્ર ! બ્રહ્મચર્ય ધારણ કરીને. વેદોને ભણીને આપણા પૂર્વજપિતૃઓને પાવન કરવા માટે પુત્રોને ઇચ્છવા જોઈએ; અર્થાત્ બ્રહ્મચર્ય સાથે વેદોને ભણ અને શ્રાદ્ધ માટે પુત્રોને પેદા કર. અગ્નિની સ્થાપના કરીને વિધિપૂર્વક યજ્ઞો કર અને પછી વાનપ્રસ્થ થયા બાદ મુનિ થવાની ઇચ્છા કર.” ૬
(મેધાવીનો પિતા કર્મકાંડપ્રધાન બ્રાહ્મણ-પરંપરાનો છે અને મેધાવીની આસ્થા એ કર્મકાંડપ્રધાન એવી બ્રાહ્મણ-પરંપરાથી ઊઠી ગઈ હોય એમ લાગે છે, એ ધ્યાનમાં રાખવા જેવું છે.)
પુત્ર બોલ્યો :
“સમગ્ર સંસાર આ રીતે ભારે ડિસાઈ રહ્યો છે અને અનેક દુઃખોથી ઘેરાયેલો છે તથા આયુષ્યને હરવામાં સફળ એવી રાત્રીઓ વીતતી જાય છે, તેને વખતે હે પિતા! તમે આવું ધીરના જેવું કેમ બોલો છો; અર્થાત્ જયારે જગત આખું મૃત્યુના જડબામાં ફસાયેલું છે અને આધિ, વ્યાધિ તથા ઉપાધિઓથી ઘેરાયેલ છે, તેવે વખતે વેદોને ભણવાની, પુત્રોને પેદા કરવાની તથા યજ્ઞો કરવાની સલાહ શી રીતે આપો છો? કાલની તો કોઈને ખબર નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org