________________
૧૭૦ • સંગીતિ
"यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः । वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः ॥८२॥ कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् । क्रियाविशेषबहुला भौगैश्वर्यगति प्रति ॥८३॥ भोगैश्वर्यप्रसक्तानां तयाऽपहृतचेतसाम् । व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ॥४४॥ त्रैगुण्यविषया वेदा निस्वैगुण्यो भवार्जुन ।
निद्वंन्द्वो नित्यसत्वस्थो निर्योगक्षेम आत्मवान् ॥८५॥" શ્રી ગીતાજીના બીજા અધ્યાયમાં આ ચાર શ્લોકો આપેલા છે. એ શ્લોકો જ બતાવી આપે છે કે ગીતાજીના સમયમાં વેદોનો કેવો અનુચિત ઉપયોગ પુરોહિતો કરતા હતા. શ્રીકૃષ્ણ પોતે વેદનો આ જાતનો દુરુપયોગ જોઈને જ પોતાના સખા અર્જુનને વેદવાદ તરફ જોવાની સાફસાફ ના પાડે છે.
આ ઉપરાંત “મપુત્રસ્ય તિતિ' અર્થાત્ “અપુનિયાની સદ્ગતિ થતી નથી' એવો વેદવાદ છે. વેદોનું અધ્યયન કરવું, પ્રજા પેદા કરવી, બ્રાહ્મણોને જમાડવા વગેરે પણ વેદવાદ છે. કર્મકાંડપ્રધાન પરંપરાનું રહસ્ય નથી સમજવામાં આવતું, ત્યારે જે અનર્થો થાય તે બધા એ પરંપરામાં થાય એ સ્વાભાવિક છે.
એક પુરોહિત બ્રાહ્મણ એ કર્મકાંડપ્રધાન પરંપરાનો અનુગામી છે, ત્યારે એનો પુત્ર એ પરંપરાથી જુદો પડે છે અને અહિંસા-સંયમપ્રધાન પરંપરાને અનુસરવા તત્પર થાય છે. એવા એ બન્ને પિતાપુત્રનો સંવાદ મહાભારતમાં આપેલો છે અને એવો જ સંવાદ જૈન આગમ ઉત્તરાધ્યયનમાં પણ આપેલ છે. આ નીચે એ બન્ને સંવાદોનો અનુવાદ આપું છું અને પછી એ બન્નેનાં મૂળ પદ્યો પણ ટાંકી બતાવું છું, જેથી વાંચનાર જોઈ શકશે કે તે બન્નેના અનુવાદમાં કેટલી બધી સમાનતા છે, એટલું જ નહીં, પણ પદ્યોમાં પણ કેટલી બધી અક્ષરશઃ પણ સમાનતા જળવાયેલી છે.
મહાભારતમાં બારમું શાંતિપર્વ છે. તેના પેટામાં ત્રીજું મોક્ષધર્મપર્વ છે. તેમાં સળંગ ચાલ્યા આવતા ૧૭૫મા અધ્યાયમાં રાજા યુધિષ્ઠિર અને ભીષ્મપિતામહ વચ્ચેનો સંવાદ છે.
૧. અહીં વાપરેલું મહાભારત પૂનાની આવૃત્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org