________________
મહાભારત અને જૈન આગમ ૧૬૯ વિશેષ જરૂર છે. તે રીતે ભિન્ન ભિન્ન મતોને, જુદા જુદા અભિપ્રાયોને, ભિન્ન ભિન્ન ગ્રંથોને તથા વિવિધ સંપ્રદાયોને જોવાથી એ બધામાં વિશેષ સંગતતા, ઘણી ઘનિષ્ઠતા અને જાણે કે એ બધા એક જ હોય એમ આપણે પ્રામાણિકપણે જોઈ શકીશું.
બ્રાહ્મણગ્રંથકારોએ વેદબાહ્ય લોકોને નિંદ્યા છે, જૈન ગ્રંથકારોએ મહાભારત વગેરે મહાગ્રંથોને મિથ્યા ગ્રંથો કહીને વગોવ્યા છે. પણ તેમાં કેવળ એમણે એક જ આંખનો ઉપયોગ કરેલો અને કેવળ સંકુચિત સાંપ્રદાયિક દૃષ્ટિને જ કેળવેલી. પણ હવે આપણે ગમે તે ધર્મના, ગમે તે ભાષાના, ગમે તે ધંધાના વા ગમે તે કુળ યા ગોત્રના હોઈએ તો પણ એક જ છીએ, એક જ રહેવાના અને આપણી ભાવી પ્રજાને પણ એજ એક સંદેશો તેમના વારસામાં આપી જવાના. આ એક ઉદ્દેશ વા દષ્ટિને ધ્યાનમાં રાખીને નીચે મહાભારતની સાથે જૈન આગમ ઉત્તરાધ્યયનસૂત્રની તુલનાત્મક રીતે વિવેચના કરવામાં આવી છે. વિવેચનામાં કલ્પના નથી, પણ નક્કર સત્ય છે.
વાત એમ છે કે ઘણા જૂના સમયમાં બ્રાહ્મણ-પરંપરા કર્મકાંડપ્રધાન હતી, એટલે કે યજ્ઞો કરવા; પછી ભલે તેમાં નરબલિ કે પશુબલિ ચડાવવામાં આવતો હોય. એવા યજ્ઞો સ્વર્ગમાં પહોંચાડનારા છે એમ પણ વેદોને નામે કહેવામાં આવતું. “સીત્રામખ્યાં સુરાપાનમ્' એટલે સૌત્રામણિ યજ્ઞમાં સુરાનું પાન કરવું એમ કહીને પશુહિંસાની સાથે મદ્યપાનને પણ વેદોને નામે ટેકો આપવામાં આવતો.
આ રીતે વેદોને નામે એક કાળે ઘણા અનાચારોને પોષણ મળેલું. આ પરિસ્થિતિથી ઘણા બ્રાહ્મણો પણ અકળાયેલા અને એ અકળામણમાંથી જ ઉપનિષદો જન્મ્યાં છે. માઠર જેવા બ્રાહ્મણ પરંપરાના પુરસ્કર્તાએ તો એમ પણ કહેલું છે, કે “વૃક્ષાત્ છિલ્વા પશુ હલ્વા વૃત્વા ઔધરર્વમમ્ ! પાશ્રય
તે સ્વનર: ફેન તે” (માઠરવૃત્તિ, પાનું આઠમું, ચૌખંબા ગ્રંથમાળા) અર્થાત્ જો યજ્ઞમાં પશુઓને મારીને સ્વર્ગમાં જઈ શકાય તો પછી નરકમાં જવાનો બીજો ક્યો માર્ગ છે? અથવા આવા હિંસકો સ્વર્ગમાં જાય તો પછી નરકમાં કોણ જાય? ગીતાના સમર્થક પુરુષોત્તમ શ્રીકૃષ્ણ પણ એવા હિંસાપ્રધાન વેદો તરફ તાકવાની પોતાના સખા અર્જુનને સાફ ના પાડેલી, અને એ રીતે એમણે પણ અહિંસા અને સંયમનું જ સમર્થન કરેલું છે. ગીતાજીમાં શ્રીકૃષ્ણ જે વચનો વેદો વિશે કાઢેલાં છે તે આ પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org