________________
૨૦. મહાભારત અને જૈન આગમ
આમ તો મહાભારત બ્રાહ્મણપરંપરાનો ગ્રંથ છે અને જૈન આગમો જૈન પરંપરાના છે. એ બે વચ્ચે હોય તો વિરોધ જ હોય; કશી સમાનતા કે સગાઈ તો ન જ હોય એવી સાધારણ માન્યતા છે. શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચે પાછલા કેટલાક સમયથી મેળ નથી, બલ્ક વિરોધ છે એવું તે તે શાસ્ત્રો દ્વારા પણ લોકો જાણે છે. જેમનું નિત્યવેર હોય એવા સમાસના પ્રયોગોના દાખલામાં શ્રમબ્રાહમણન' એવું એક ઉદાહરણ ઘણા સમયથી બને પરંપરાના વ્યાકરણગ્રંથમાં ચાલ્યું આવે છે અને “જોગી-જાતિને વેર, વેર સતી-વેશ્યાને એવી શામળ ભટ્ટની લોકોક્તિ પણ એ જ વેરની સમર્થક છે.
આ હકીકત ખોટી નથી; પણ માત્ર એક જ આંખે અને તે પણ માત્ર ભેદ કે વિરોધ શોધવાની દૃષ્ટિએ જોવાથી ઊભી થયેલી છે. સમભાવે અને એકબીજાની સગાઈ શોધવાની દષ્ટિએ બીજી આંખે પણ જોઈએ, તો બ્રાહ્મણ અને શ્રમણ વચ્ચે જેટલો ઘનિષ્ઠ સંબંધ છે તેટલો બીજાઓ વિશે દેખાતો નથી. બે સગા ભાઈઓ હોય છતાં જો દોષદૃષ્ટિથી જ એકબીજાને જોતા હોય તો તેમાં પણ દ્વેષ કે વેર સિવાય બીજો કોઈ ભાવ દેખાશે નહીં, અને જો ગુણદષ્ટિએ અને સમાધાનભાવે જોઈશું તો ગમે તે બે તદ્દન જુદા જુદા લાગતા મનુષ્યોમાં પણ ભારે સંગતતા અને ઘનિષ્ઠતા માલૂમ પડે છે, તો પછી બે સગા ભાઈની તો વાત જ શી ? સમાજનું ધારણપોષણ અને સત્ત્વસંરક્ષણ કરવું હોય, પ્રજામાં સદ્ભાવ અને પ્રેમ વધારવા હોય તો જુદાઈમાં તો શું, વિરોધમાં પણ સંગતિ જોવાની દૃષ્ટિ કેળવવાની જરૂર છે. તેમ કર્યા સિવાય વ્યક્તિ અને સમાજ બંનેને હાનિ છે. કેવળ ભેદ કે વિરોધદષ્ટિથી જ જોવાની ટેવ પાડીએ તો કદાચ એકલી વ્યક્તિને થોડો-ઘણો ફાયદો થાય, પણ તે ફાયદાના મૂળમાં સંતાપ અને ક્લેશ સિવાય બીજું કશું જ દેખાશે નહીં. માટે સમાજના અને વ્યક્તિના હિતવાંછુએ પ્રધાનપણે સમાધાનની દષ્ટિ કેળવવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org