________________
જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલોચના ૧૬૫ નથી, તેમ તેમાં કાંઈ નવું પરિવર્તન કરવાની જરૂર નથી; જે છે તે તદ્દન સંપૂર્ણ છે.
આ પહેલાં જીવનશુદ્ધિના સાધક પ્રાચીનતમ પ્રયોગ કરનારાઓનાં પણ જુદાં જુદાં શાસ્ત્રો રચાઈ ગયાં હતાં અને તે જુદા જુદા શાસ્ત્રકર્તાઓએ પણ પોતપોતાનાં શાસ્ત્રો અંગે પૂર્ણતાની મહોર મારી હતી અને એ બાબત તેઓ પરસ્પર વાદવિવાદે પણ ચડ્યા હતા. “મમ સત્યમ્' એ ન્યાયે તેઓ એકબીજા વચનયુદ્ધ તરફ પણ વળ્યા હતા. સાંખ્યશાસ્ત્ર (કપિલમુનિ), ન્યાયદર્શન (ગૌતમ મુનિ) અને વૈશેષિકશાસ્ત્ર (કણાદમુનિ) આ ત્રણે પ્રયોગાત્મક શાસ્ત્રો હતાં; તેમાં તેમના પ્રણેતાના પોતપોતાના જુદા જુદા અનુભવો હતા અને તેમણે જે રીતે સાધના કરી જીવન ઘડેલું તેનું વિવેચન હતું. પણ તેમના જુદા જુદા અનુયાયીઓએ પ્રયોગાત્મક શાસ્ત્રો ઉપર સિદ્ધરૂપતા વા પૂર્ણરૂપતાની મહોર મારી એકબીજાનાં ખંડનમંડન તરફ વળ્યા હતા. એકબીજાના વિચારોને સમજવા, તેની પરસ્પર તુલના કરવી અને તે તે શાસ્ત્રોનો પ્રધાન ઉદ્દેશ સમજી તદનુસાર જીવન ઘડવું એ પ્રવૃત્તિ મંદ પડી ગઈ હતી અને જુદા જુદા બુદ્ધિના અખાડાઓમાં એ પંડિતો મલ્લોની પેઠે બુદ્ધિના યુદ્ધે ચડ્યા હતા. તે જ સ્થિતિ ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના અનુયાયીઓની પણ થઈ. એમણે પોતપોતાના શ્રદ્ધેય, માનનીય, પૂજનીય તરફ કૃતજ્ઞતાભાવ વિકસાવવા એ જ રાહે ચડવાનું મુનાસબ માન્યું, અને જોકે, જીવન ઘડવા માટે એ પ્રયોગોનું અનુસરણ પણ ચાલુ રાખ્યું, છતાં એ અનુસરણમાં મોટો ભાગ આ વાણીયુદ્ધનો જ રહ્યો અને મોટાં મોટાં મંદિરો, ભારે ભારે ઉત્સવો, અને પોતાની વૃત્તિને પોષે એવા ઠાઠમાઠો તથા કેટલે અંશે દેહદમન વગેરે ચાલુ રહ્યાં. આ રીત પછી તો એટલી બધી વધી ગઈ કે એ પ્રયોગોમાંનો મૂળ પ્રાણ નીકળી ગયા જેવું થઈ ગયું અને માત્ર કૃતજ્ઞતાસૂચક પ્રવૃત્તિઓ જ વધતી ચાલી તથા એ બધા જુના અને નવા પ્રયોગોનાં શાસ્ત્રો એકબીજા તરફ વિરોધભાવ ધારણ કરવા સુધી પહોંચી ગયા. આ સ્થિતિ મધ્યયુગમાં વિશેષ વિકસી અને એ માટે અનેક નવા નવા તર્કપ્રધાન ગ્રંથોનું પણ નિર્માણ થયું. તેમાં એટલે સુધી ભક્તિભાવ વધ્યો કે અમુક શાસ્ત્ર માને તે જ આસ્તિક અને ધાર્મિક અને બીજા શાસ્ત્રને માનનાર નાસ્તિક અને અધાર્મિક વા અજ્ઞાની વા મિથ્યાદષ્ટિ.
એ મધ્યયુગની અસર આપણા વર્તમાનકાળમાં પૂરેપૂરી જામી ગઈ છે; જો કે હવે જાહેર રીતે તો બુદ્ધિના અખાડા કેટલેક અંશે બંધ થયા છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org