SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલોચના ૦ ૧૬૩ તથા તેમની સમિતિએ સ્વીકારેલા છે તેમને સર્વસંમત માનવામાં આવે છે અને જે નિર્ણયો વિવાદાસ્પદ હોય છે તે અંગે પ્રયોગો કરી કરીને ચકાસણી કરવામાં આવે છે. તેમાં કોઈ વૈજ્ઞાનિક એ માટે શાસ્ત્રાર્થ કરવાનું પણ ધારતો નથી. એ તો એમ જ સમજે છે કે પ્રયોગો કરવાથી તથા એ અંગે વધુ ચિંતન-મનન, સંશોધન કરવાથી જે હકીકત નિશ્ચિત થાય તે સર્વસામાન્ય થાય અને સર્વગ્રાહ્ય પણ થાય. આમ હોવાથી બધા જ વૈજ્ઞાનિકો પોતપોતાની શોધો અને તે બાબતના વિચારોનું પરસ્પર આદાનપ્રદાન કરતા રહે છે, પણ કોઈ સ્થળે વૈજ્ઞાનિકો વચ્ચે દંતકલહ થયો જાણ્યો, સાંભળ્યો કે જોયો નથી. આપણા દેશમાં પણ ઘણા પ્રાચીન કાળથી ચિંતન-મનન થતું આવેલ છે. સંસારપ્રવાહમાં તણાતાં પ્રાણીઓની દુઃખમય સ્થિતિ જોઈ જેમના ચિત્તમાં કરુણાનાં પૂર ઊમટ્યાં તેવા વીર પુરુષોએ આ પ્રત્યક્ષ દુ:ખમય સ્થિતિને કેમ ટાળી શકાય, એ અંગેની શોધ માટે પોતાનાં ભૌતિક સુખોની આહુતિ આપી. ચિંતન-મનન નિદિધ્યાસન સાથે પોતાના જ દેહ ઉપર, મન ઉપર, વૃત્તિઓ ઉપર અને ઇંદ્રિયો ઉપર અનેક અખતરા કર્યા, ઘોર દેહદમન કર્યાં, ધ્યાન કર્યાં, જપ, તપ, સ્વાધ્યાય વગેરે પણ કર્યાં. એ બધું કર્યા પછી એમને જે જે અનુભવો થયા અને એ દ્વારા એમને જે જાતના નિર્ણયો લાધ્યા તે સંસાર સામે રજૂ કર્યા. આ અંગે શ્રીકૃષ્ણ, કપિલમુનિ, ગૌતમમુનિ, કણાદમુનિ તથા વર્ધમાન મહાવીર અને સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બધાએ વિવિધ સાધનાઓ દ્વારા જે જે નિર્ણયો તારવ્યા અને તેમને પોતે કરેલા પ્રયોગો દ્વારા જે જે અનુભવો થયા તે બધા જ જગત સમક્ષ મૂક્યા અને તે સૌએ ઘોષણા કરી કે આ દુઃખમય પરિસ્થિતિમાંથી બચવાની ઇચ્છા હોય તો અમે જે જે પ્રયોગો બતાવ્યા છે અને જે જે અનુભવા તારવ્યા છે તે પ્રયોગો તમે પણ કરો, અને સ્થિર શાંત પરિસ્થિતિમાં પૂર્વગ્રહોનો ત્યાગ કરીને એ પ્રયોગોમાં નવી નવી શોધનું ઉમેરણ ક૨ી સાધ્યસિદ્ધિ માટે વધારે સરળ માર્ગનું શોધન કરો. એ દ્વારા તેમણે સંસારને વધારેમાં વધારે સરળ માર્ગની ભેટ કરી. પ્રસ્તુતમાં શ્રીકૃષ્ણ વગેરે વીર પુરુષોની શોધો અને અનુભવો અંગે વિશેષ કહેવાનો આ પ્રસંગ નથી. આ પરિષદ જૈન અને બૌદ્ધ વિચાર પૂરતી ગોઠવાયેલ છે. એટલે તે બે દર્શનના શોધકોના વિચારોને જ ઉપર જણાવેલા છે. હવે આપણે વિચારીએ કે આપણે આ બાબત શું કર્યું ? કોઈ નવી શોધો કરી ? કોઈ નવા પ્રયોગો કરી નવા નિર્ણયો કે અનુભવો તારવ્યા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy