________________
૧૬૦ - સંગીતિ
બુદ્ધ એ બન્નેની દૃષ્ટિમાં સમન્વયવૃત્તિને અથવા સર્વધર્મ સમભાવને વિશેષ પ્રતિષ્ઠા મળેલ છે.
મારો જ ધર્મવિચાર યા દર્શન અથવા અનુભવ ખરો છે અને તારોસામાનો-વિચાર-ધર્મવિચાર, દર્શન અથવા અનુભવ ખોટો જ છે–આ જાતની વિચારધારાનું નામ કદાગ્રહ અથવા દુરાગ્રહ છે. પૂ. શ્રી વિનોબાજીએ “ભૂમિપુત્ર'માં પોતાનાં એક લેખમાં જણાવેલ છે કે વૈદિક સાહિત્યમાં યુદ્ધના ભાવનો સૂચક “મમ સત્યમ્' શબ્દ વપરાયેલ છે. “મમ સત્યમ્' એટલે મારું જ સાચું અર્થાત્ તારું (સામાનું) ખોટું જ. “મમ સત્યમ્ શબ્દ કદાગ્રહનો સૂચક છે, એકપક્ષી છે અને સામાના વિચારને અથવા અનુભવને સમજવાની ના પાડવાનો ભાવ એમાં દેખાય છે. અને આમ છે માટે એ શબ્દ કલહવર્ધક યુદ્ધના પર્યાયરૂપ બનેલ છે. અમુક દષ્ટિએ વિચારીએ તો મારું પણ સાચું છે અને અમુક દૃષ્ટિએ વિચાર કરીએ તો તારું પણ સાચું છે-આ જાતની વિચારધારા કદાગ્રહ વગરની છે અને સમભાવ તરફનું વલણ બતાવનારી છે. જે વિચારધારા બને જાતના જુદી જુદી દષ્ટિએ યોજાયેલા વિચારને અન્યાય ન કરે અને યથોચિત પ્રામાણ્ય આપે તે વિચારધારા કલમનું કારણ બનતી નથી.
નાનાહિં તો.”—લોક જુદી જુદી રુચિવાળો છે. એટલે ભલે ને રુચિઓ જુદી જુદી હોય, પણ એ રુચિ ધરાવનાર અનેક લોકોનો ઉદ્દેશ એક હોય છે, અને એ એક જ ઉદ્દેશને પાર પાડનારી પ્રક્રિયાઓ ચિભેદે જુદી જુદી હોઈ શકે છે. એટલે ભિન્ન ભિન્ન વિચારોને સાંભળીને ભડકવાનું નથી, પણ ધીરજ ધરી એ ભિન્ન ભિન્ન વિચારોનું મૂળ શોધી કાઢી તે દરેકને ન્યાય આપવાનો છે. આ અંગે દાખલો આમ આપી શકાય. નીચે જમીન ઉપર લોકો ચાલી રહ્યાં છે અને એ લોકો પોતપોતાની ઊંચાઈનું માપ જાણે છે, તથા વહેતી નદીઓનો પટ તથા ઘરોની ઊંચાઈ, પહોળાઈ કે લંબાઈનાં માપો પણ ભૂતળ ઉપર ચાલતા લોકોના ધ્યાનમાં હોય છે. પણ જ્યારે વિમાન ભૂતળ ઉપરથી ઘણે ઊંચે ઊડતું હોય, ત્યારે તેમાં બેઠેલા બધા લોકો નીચે નજર કરે તો તેમને એમ લાગશે કે નીચે તો નાના નાના વામનોની હાર ચાલી જાય છે, નદીઓ પાતળી ધોળી દોરી જેવી લાગે છે અને ઘર તો તદ્દન નાનાં ઘોલકાં જેવાં જણાય છે. હવે આ બે દર્શનોમાં જોવા જઈએ તો બન્નેય સાચાં છે. આમાં ભૂતળ ઉપર ચાલનારનું દર્શન જ સાચું છે અથવા તો વિમાનમાં બેસીને ઊડનારનું જ દર્શન સાચું છે એમ કદી પણ નહીં કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org