________________
૧૫૮ • સંગીતિ
સમન્વયના વિચારને વિસરી ગયેલા અને ધર્મને નામે જ કલહમાં સપડાઈ ગયેલા. તેથી આપણને જાગ્રત કરવા સારું જ પૂ. ગાંધીજીએ સર્વધર્મસમભાવવ્રતની યોજના કરી જીવનચર્યામાં વણી લેવાનો સંદેશો આપેલ છે.
એમણે તો આશ્રમની બન્ને સમયની પ્રાર્થનામાં અને બીજી પણ પ્રવૃત્તિઓ કરતી વખતે એ વ્રતની ચર્યાને પોતાની કરણીમાં વણી બતાવેલ છે; રામ, હરિ, હર, અહુરમઝૂદ, ગૉડ, જિન, બુદ્ધ તથા ખુદા એ બધાનું સ્મરણ યથોચિત રીતે ચાલતું કરેલ છે અને આશ્રમવાસીઓ તથા ભારતીય સમગ્ર જનતાને સર્વધર્મસમભાવની ભાવનાને અનુરૂપ વર્તવાની હાકલ કરેલ છે, એમણે તો ત્યાં સુધી કહેલ છે કે માનવમાત્રના સુખની, શાંતિની, સમાધાનની ચાવી સર્વધર્મ-સમભાવવ્રતને આચરવામાં જ છે.
માણસને જે ધર્મ, આચાર, કર્મકાંડ કે અનુષ્ઠાન વારસામાં મળેલ છે, તથા જે તત્ત્વવિચાર ગળથુથીમાં સાંપડેલ છે તેને બરાબર સમજી લઈ વિવેક રાખી પૂર્ણ વફાદારી સાથે આચરવામાં આવે અને પોતાથી અન્ય માણસને જે ધર્મ, આચાર, કર્મકાંડ, અનુષ્ઠાન કે તત્ત્વવિચાર વારસામાં મળેલ છે તે તરફ આદર સાથે સહિષ્ણુતાપૂર્વક વર્તવામાં આવે તથા એકબીજાના ધર્મ કે કર્મકાંડ વા તત્ત્વવિચારની તુલના કરીને સમજવા માટે પ્રયાસ કરવામાં આવે, તો વિવેકી વિચારશીલ મનુષ્યને પરસ્પર વિરુદ્ધ કહેવાતા એકબીજાનાં ધર્મ, દર્શન, કર્મકાંડ વગેરેમાં કેટલી બધી સમાનતા છે એની ચોખ્ખી ખબર પડે તથા એ બન્ને વચ્ચે કેવળ નિરૂપણશૈલીની ભિન્નતા છે વા ક્યાંય ક્યાંય તો કેવળ શાબ્દિક જ ભેદ છે એ પણ આપોઆપ જણાઈ આવે. વળી, એકબીજાનાં ધર્મ, દર્શન કે કર્મકાંડ વગેરેમાં અમુક અંશ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે તે પણ સમજાય તથા એકબીજાનાં દર્શન વગેરેની ખૂબીઓ પણ ખ્યાલમાં આવે.
મારો પોતાનો અંગત અભિપ્રાય જણાવું તો ભારતીય વા ભારતીયેતર કોઈ પણ ધર્મ, મત, દર્શન માર્ગોના પ્રચારનો હેતુ જનતાનું નિઃશ્રેયસ સાધવાનો છે. કોઈ પણ સાધન કે પ્રક્રિયા દ્વારા રાગદ્વેષો ક્ષીણ થાય, સમભાવ પેદા થાય અને પ્રત્યક્ષ જીવનમાં શાંતિ, સમાધાન, સંતોષ અનુભવાય એવો ઉદ્દેશ તમામ ધર્મમતોનો છે અને એ ઉદેશ સિદ્ધ કરવા અંગે સમદર્શી જૈન વિચારની આ ઘોષણા છે
જુઓ, સમદર્શી જૈન આચાર્યશ્રી હરિભદ્રસૂરિ કહે છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org