SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલોચના (ઑક્ટોબર મહિનામાં દિલ્લીમાં મળેલા અખિલ ભારતીય સંસ્કૃત સાહિત્ય સંમેલનની સુવર્ણજયંતીની ઉજવણીના પ્રસંગે પંડિત બેચરદાસ જીવરાજ દોશીએ જૈન અને બૌદ્ધ પરિષદના અધ્યક્ષ તરીકે આપેલા ભાષણનો સારભૂત અનુવાદ). વિજ્ઞાનના પ્રકાશમાન સૂર્યનો દિનપ્રતિદિન ઝળહળતો પ્રકાશ ફેલાતાં અંધશ્રદ્ધાનાં અંધારાં ઓસરી ચૂક્યાં છે. કદાગ્રહ, દુરાગ્રહ, સંકુચિતતા, પરસ્પર માત્સર્ય અને અર્થશૂન્ય ધાર્મિક કલહ એ બધું તથા ચમત્કારો ઉપર લહેરાતો ધર્મનો ઝંડો હવે વધારે વખત ટકવાનો સંભવ નથી. પોતાનાં દર્શન, કે વિચારના અનુભવની સાથે બીજાનાં દર્શન, વિચાર કે અનુભવની પરસ્પર તુલના કરવાનો તથા સમભાવની દષ્ટિને મુખ્ય રાખીને વિચારવાનો સમય પાકી ગયો છે. સામસામા છેડાવાળી રાજકારણી વિવાદગ્રસ્ત પ્રવૃત્તિઓમાં સહઅસ્તિત્વનો સિદ્ધાંત સ્વીકારી શકાય છે, તો સર્વને શાંતિદાયક એવા દાર્શનિક વિચારોના ક્ષેત્રમાં તો સહઅસ્તિત્વ સહજભાવે આવી શકે છે; એમ થવામાં કોઈ જાતના વિરોધને અવકાશ કેમ હોઈ શકે ? પ્રસ્તુત જૈનદર્શન અને બૌદ્ધદર્શનના અનુસંધાનમાં જગતુ, કર્મ, આત્મા, નિર્વાણ, પ્રમાણ વગેરે પ્રમેયોની ચર્ચાને મેં જાણી જોઈને ગૌણ સ્થાન આપેલ છે. આ બન્ને દર્શનોનાં જે જે મુખ્ય તાત્ત્વિક વિચારો છે તેનો સમન્વયની દૃષ્ટિએ વિચાર કરવો એ મારો પ્રધાન ઉદ્દેશ છે. આપણા રાષ્ટ્રપિતાએ પણ સમગ્ર વિશ્વના હિતને લક્ષ્યમાં રાખી અને તેમાંય ધર્મતત્ત્વ વિશે વિવિધ વિચારસરણી ધરાવતી ભારતીય જનતાને વિશેષતઃ પોતાની સામે રાખી સૌના કલ્યાણની દષ્ટિએ જે અગિયાર વ્રતોની યોજના કરેલી તેમાં સમન્વયમૂલક વિચારસરણીને વિશેષ પ્રતિષ્ઠા આપેલ છે. આમ તો અહિંસાના મહાવ્રતમાં જ સમન્વયવિચાર સમાઈ જાય છે. છતાં અજ્ઞાન, સંકુચિતતા અને “મમ સત્ય”નો આગ્રહ હોવાથી આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy